Ganeshotsav-2022 જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

31 ઓગસ્ટ ગણેશ ચતુર્થીએ આ 4 રાશિનો બની રહ્યો છે રાજયોગ, જીવનના બધા જ દુઃખો થશે દૂર

ભગવાન ગણેશની અમુક લીલાઓ કૃષ્ણ ભગવાન સાથે મળતી આવે છે. જેનું ફળ ગણેશ પુરાણ શિવ પુરાણમાં જોવા મળે છે. ગણેશ ભગવાન સુખકારી અને મંગલકારી દેવતા છે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિની સ્થાપના કરે છે. માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે ગણેશજીને પ્રથમ યાદ કરવામાં આવે છે.

ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ માન્યતા છે કે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષ દરમ્યાન ગણેશજીનો જન્મ થયો હતો. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના રૂપમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસેથી ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવશે અને અનંત ચૌદશના દિવસે આ તહેવાર પૂર્ણ થશે.

આ વખતે ગણેશ ચતુર્થીના આ અવસર પર વિશેષ રાજયોગ બનવાનો છે, જેમાં ગણેશજી બધાની જ મનોકામનાઓ પુરી કરશે, પણ આ ખાસ આ 4 રાશિનો બની રહ્યો છે રાજયોગ…

1) મેષ રાશિ

મેષ રાશિવાળા જાતકોના જીવનમાં 2 સપ્ટેમ્બરથી ઘણા બધા બદલાવ આવશે. તમે જે પણ કાર્ય કરશો તે પૂર્ણ થશે. તમે તમારા જીવનમાં તેજીથી પ્રગતિ કરશો. તેમજ ધનને માતા લક્ષ્મીજીની અપાર કૃપા રહેશે. જેથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. ભગવાન ગણપતિને કૃપાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.

2) સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકોએ 2 સપ્ટેમ્બરે બની રહેલા રાજયોગથી તમારા જીવનમાં ઘણા બધા પડકારો આવશે. પરંતુ આ બધા પડકારો સામે લડી શકશો. નોકરીવર્ગના લોકોની પ્રગતિ ઉન્નતિ થશે. વિદ્યાર્થીવર્ગને સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન વધશે. પરિવારમાં ખુશીનુ વાતાવરણ બની રહેશે. શ્રી ગણેશ તેમજ માતાજી લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહેશે જેથી નસીબનો પૂરેપૂરો સાથ મળશે.

3) કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતકો માટે આવનારો સમય ખૂબ જ ખાસ રહેશે. જે લોકો પ્રેમ-પ્રસંગમાં હોય તે લોકોને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે માતા લક્ષ્મીજીની કૃપાથી દરેક સમસ્યા દૂર થશે. બધી જ પરેશાની દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સમાજમાં માન સન્માન વધશે.

4) કુંભ રાશિ

કુંભ રાશિવાળા જાતકો માટે 2 સપ્ટેમ્બરથી ગણેશજીની અપાર કૃપા તમારા ઉપર હશે. તેમજ તમારો સમય ઉત્તમ રહેશે, નોકરી વર્ગવાળા લોકોને સહકર્મીઓનો સપોર્ટ રેહશે. તમારા કાર્યથી ઉચ્ચ અધિકારી પ્રસન્ન થશે. તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. તેમજ સરકારી નોકરી મળવાના પણ યોગ છે. પરિવારનો પૂરો સહયોગ મળશે.