Monika Bhadoriya About Asit Modi : ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ ઘણો ચર્ચામાં છે. હાલમાં જ જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા હતા, જે બાદ હવે મોનિકા ભદોરિયા કે જે શોમાં પહેલા બાવરીનું પાત્ર નિભાવી ચૂકી છે તેણે પણ અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. શોમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકાએ કહ્યું કે તેઓ કલાકારો સાથે કૂતરાઓની જેમ વર્તે છે,
કોઈ તેમનું મોં ન ખોલે એટલે તેમને બોન્ડ સાઈન કરાવે છે. મોનિકાએ જણાવ્યું કે જ્યારે તેણે 2019માં શો છોડ્યો ત્યારે લગભગ 4-5 લાખ રૂપિયાની ચૂકવણી કરી ન હતી.તેણે દરેક અભિનેતાના પૈસા રોકી રાખ્યા છે, પછી તે રાજ અનડકટ હોય કે ગુરચરણ સિંહ. એવું નથી કે નિર્માતાઓ પાસે પૈસા નથી, તેઓ માત્ર લોકોને ત્રાસ આપવા માટે આવું કરે છે. મોનિકા ભદોરિયાએ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનું પાત્ર ભજવ્યું હતું અને વર્ષ 2019માં શોને અલવિદા કહ્યું હતું.
મોનિકાને એ દિવસો નરક તરીકે યાદ કરે છે. મોનિકાની દિવંગત માતા તે દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહી હતી પરંતુ મેકર્સે તેની મદદ કરી નહિ. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં મોનિકાએ કહ્યું, ‘હું રાત્રે હોસ્પિટલમાં રહેતી હતી અને તે મને વહેલી સવારે શૂટ માટે બોલાવતો. મેં તેને કહ્યું કે હું આ સમયે શૂટની સ્થિતિમાં નથી, તો પણ તે બળજબરી કરતો હતો. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટિંગ સેટ પર આવ્યા પછી પણ મારે માત્ર રાહ જોવી પડી, મારું કોઈ કામ નહોતું થતુ.
જ્યારે મોનિકાની માતાએ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે શોના નિર્માતા અસિત મોદીએ તેને ફોન કરીને સાંત્વના પણ ન આપી. મોનિકા કહે છે, “હું આઘાતમાં હતી, પરંતુ સાત દિવસ પછી અસિતે મને માત્ર શૂટ પર પાછા ફરવા માટે બોલાવી. જ્યારે મેં કહ્યું કે હું આ સ્થિતિમાં નથી, ત્યારે તેની ટીમે કહ્યું- ‘અમે તમને પૈસા આપીએ છીએ’ જ્યારે પણ અમે ઈચ્છીએ ત્યારે તમારે આવીને ઊભુ રહેવુ પડશે, પછી તમારી મમ્મી એડમિટ હોય કે બીજું કોઇ…
મોનિકા આગળ કહે છે કે, હું સેટ પર ગઇ કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, હું દરરોજ રડતી હતી અને તે ટોર્ચર કરતો અને ગેરવર્તન કરતો હતો. તે શૂટિંગના એક કલાક પહેલા ફોન કરતો હતો, એટલી ગુંડાગર્દી છે સેટ પર. મોનિકાએ કહ્યું, “મેં કહ્યું હતું કે મારે કામ નથી કરવું, એવી જગ્યાએ જ્યાં કામ કરવાને બદલે તમને આત્મહત્યા કરવી વધુ સારું લાગે. મોનિકાએ કહ્યુ કે, જે શોમાં છે તે વાત નહિ કહે. તેણે (અસિત) મારા પાસે એવો કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો કે હું મીડિયા સાથે વાત કરી શકીશ નહીં.
જેનિફરજી પણ વાક ન કરી જ્યારે અન્ય કલાકારોએ શો છોડ્યો. દરેકને તેમની નોકરી બચાવવાની છે, તેઓએ જેટલો ત્રાસ આપ્યો છે તેટલો કોઈએ નથી આપ્યો. વાતચીતના અંતે મોનિકાએ કહ્યું, ‘મને શો માટે મહિને 30 હજાર રૂપિયા મળતા. તેમણે પ્રોમિશ કર્યુ હતુ 6 મહિના પછી ફી વધારવાનું પણ તે ક્યારેય થયું નથી. તેઓ પૈસાની બેઇમાની કરે છે. ખરેખર, તેઓ કૂતરાઓની જેમ વર્તે છે. તેઓએ મારી સાથે ખૂબ જ ગંદું વર્તન કર્યું છે અને તેનાથી પણ ખરાબ તેમના EP સોહેલ રહેમાની છે, તે ખૂબ જ બદ્તમીઝ છે. તેણે નટુ કાકાને પણ ગાળો આપી હતી.’