કઠુઆ બળાત્કાર અને હત્યાનો શિકાર મામલે પ્રસિદ્ધિ મેળવનાર વકીલ અને કાર્યકર્તા દીપિકા સિંહ રાજાવત આજકાલ ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સે દીપિકાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યો છે. દીપિકાએ સોમવારે રાતે તેના ટ્વીટર પર એક વિવાદાસ્પદ કાર્ટૂન પોસ્ટ કર્યું હતું.

આ કાર્ટૂનમાં જોઈ શકાય છે કે, નવરાત્રી દરમિયાન એક વ્યક્તિ દેવતાઓને પગે લાગતો નજરે ચડે છે. આ જોઈને કાર્ટૂનનું કેપ્સન આપ્યું હતું અને તે માણસ બાકીના દિવસોમાં એક મહિલાને પગ પકડે છે.
विडम्बना pic.twitter.com/eAuclZEBV8
— Deepika Singh Rajawat (Kashir Koor) (@DeepikaSRajawat) October 19, 2020
દીપિકા સિંહ રાજાવતે જણાવ્યું હતું કે મંગળવારે સાંજથી કેટલાક લોકોએ તેના ઘરની આસપાસ ઘેરાયેલા અને કબર ખોદવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. તે તે ઘટનાથી ખૂબ ડરી ગઈ છે. તે સમયે તેણે તાત્કાલિક પોલીસને બોલાવી સુરક્ષાની માંગ કરી હતી.

જ્યાં સુધી તેમની કાર્ટૂન પોસ્ટ કરવાની વાત છે, તે ફક્ત ભારતમાં વધી રહેલા બળાત્કારની ઘટનાઓને લઈને હતું. તેમણે કોઈ પણ સમાજના કે વર્ગના લોકોને અપમાનજનક કશું કહ્યું નથી. જણાવી દઈએ કે જમ્મુમાં વિરોધીઓએ તેના ઘરનો ઘેરાવો કરી લીધો હતો.

દીપિકા રાજાવતની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, તે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં વકીલ છે અને વોઇસ ઓફ રાઇટ્સ નામની એનજીઓ ચલાવે છે. જ્યારે તે કઠુઆ બળાત્કાર કેસમાં પીડિતા વતી અરજ કરતી હતી ત્યારે તેણી ચર્ચામાં આવી હતી. આ પછી સોશિયલ મીડિયા દ્વારા સતત ઘણા સામાજિક અને રાજકીય મુદ્દાઓ ઉઠાવે છે. તે ટ્વિટર પર જમ્મુ-કાશ્મીર અને મોદી સરકાર સહિત અન્ય ભાજપ શાસિત રાજ્યોની સરકારો વિશે પણ લખે છે.