મધ્યપ્રદેશના છત્તરપુરની અંદર એક દર્દનાક હાદસો ઘટી ગયો. જેમાં એક લગ્નમાં સામેલ થવા માટે આવેલા જાનૈયાઓની કાર કૂવાની અંદર ખાબકી પડી હતી, જેમાં 6 લોકોના મૃત્યુ થઇ ગયા અને 3 લોકો ઘાયલ થયા હતા.

પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ગત રાત્રે મહારાજપુર પોલીસ સ્ટેશનના દીવાનજી પુરાવમાં એક લગ્ન થઇ રહ્યા હતા જેમાં ભાગ લેવા માટે કેટલાક લોકો કાર લઈને પહોંચ્યા હતા. ગાડીને આયોજન પૂર્વક રોડના કિનારે પાર્ક કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ ગાડીનું સંતુલન બગડ્યું અને ગાડી કુવામાં ખાબકી ગઈ હતી.
Madhya Pradesh: 6 dead, 3 injured after the vehicle, they were travelling in, fell into a well in Maharajpur, Chhatarpur on Tuesday.
“A car, carrying 9 people of a marriage party, fell into a well last night, killing 6 of them,” says Z Y Khan, Maharajpur Police Station In-charge pic.twitter.com/rZNi8REDl0
— ANI (@ANI) December 9, 2020
અંધારું હોવાના કારણે ડ્રાઈવરને કૂવો દેખાયો નહીં અને ગાડી કુવામાં પડી ગઈ જેની અંદર કુલ 9 લોકો બેઠેલા હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ થયા અને 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જે અત્યારે સારવાર હેઠળ છે.
छतरपुर के महाराजपुर में महोबा, उत्तरप्रदेश के 6 नागरिकों की सड़क दुर्घटना में असमय मृत्यु होने का दुःखद समाचार मिला है।
ईश्वर से प्रार्थना करता हूँ कि वे दिवंगत आत्माओं को शांति दें, उनके परिजनों को इस दुःख को सहने की शक्ति दें और घायलों को शीघ्र ही पूर्ण स्वस्थ करें।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 9, 2020
આ ઘટનાને લઈને સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટર ઉપર એક પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે.