કોરોના વાયરસ ફેલાવવાની સાથે જ સરકાર પણ તેને રોકવા માટેના પ્રયોસોમાં લાગી ગઈ હતી. આ દરમિયાન જ કોલર ટ્યુન દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનના અવાજમાં પણ કોલરટ્યૂન રેકોર્ડ કરીને કોલિંગમાં સાંભળવા મળતી હતી.

હવે આ કોલરટ્યૂન વિરુદ્ધ દિલ્હીની હાઇકોર્ટની અંદર તેને બંધ કરવાની યાચિકા દાખલ કરવામાં આવી છે. આ યાચિકાને રાખેશ નામના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે.આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન આ કામ માટે ભારત સરકાર પાસેથી પૈસા લે છે.

જયારે દેશમાં એવા ઘણા બધા કોરોના વોરિયર્સ હાજર છે જેમેણે કોરોના કાળની અંદર લોકોની દરેક રીતે મદદ કરી છે. એવામાં કોવિડ-19ની જાગૃતતા કાર્યક્રમ માટે મોબાઈલ ઉપર કોલર ટ્યુન અમિતાભ બચ્ચનની જગ્યાએ એ લોકોની હોવી જોઈએ જેમને કોરોના કાળમાં સમાજ માટે સેવા કરી છે.

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કામની અંદર કોરોના વોરિયર્સ આ કામ માટે સરકાર પાસેથી કોઈ પૈસા પણ નહીં માંગે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ યાચિકાને સુનાવણી માટે દાખલ કરી દેવામાં આવી છે. દિલ્લી હાઇકોર્ટ અમિતાભ બચ્ચન વાળી કોલર ટ્યુનને હટાવવાની આ યાચીકા પર શુ સુનવણી આપે એ આવનાર સમયમાં જાણવા મળશે, તો આ બાબતે લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા
Someone filed an appeal in HC to remove amitabh bachchans voice from caller tune.
That was much needed.🤕#DishaSSRJusticePending pic.twitter.com/DAgVPP89v3— Kiran Jadhav🕊️ (@KiranJa97186311) January 7, 2021