લગ્ન બાદ થોડા સમયમાં પત્ની પત્ની વચ્ચે કોઈને કોઈ ઘટનાને લઈને તણાવ ઉભા થતા રહે છે. આ તનાવ કયારેક ઘર તૂટવા સુધી પહોંચી જાય છે. છૂટાછેડા લેવાનું મુહ્ય કારણ ઘરના કામને લઈને વિવાદો બતાવવા માં આવે છે. ત્યારે હસતા-ખેલતા ઘરમાં તણાવ આવી જાય છે.
આજે અમે તમને એવો કિસ્સો બતાવવા જય રહિયા છીએ કે તમે આવો મામલો ક્યારે પણ જોયો ના હશે કે સાંભળ્યો ના હશે. પરંતુ આ મામલોને પૂર્ણ કરાવવા માટે સ્ટેમ્પ પેપર પર લખાણ કર્યું છે. આવો જ એક મામલો મધ્ય પરદેશમાં સામે આવ્યો હતો.

મધ્યપ્રદેશની રાજધાનની ભોપાલમાં એક મોટી કમ્પિનીમાં એક્ઝ્યુકિટિવ પોસ્ટ પર પતિ અનેપત્ની કાર્યરત છે ઘરના કામને લઈને આ માલમલો ભોપાલ જિલ્લા કોર્ટ સુધી પહોંચ્યો હતો. અહીં દંપતીએ 100ના સ્ટેમપ પેપર પર ઘર કામને લઈને લખાણ કર્યું હતું.
આ લખાણમાં જણાવ્યું હતું કે અઠવાડિયાના ૫ દિવસ કામ પત્ની કરશે. જયારે શનિવાર અને રવિવારે પતિ કામ કરશે. જયારે બે માંથી કોઈ એક બીમાર પડશે તો બીજો હોટલમાંથી જમવાનું લઇ આવશે. અત્યાર સુધી મહિલા તેના પતિ અને સાસરિયાની ફરિયાદ લઈને જતા હતા. પરંતુ પહેલી વાર એવું થયું કે દંપતી સાથે પહોંચ્યા હતા. પરંતુ તેના ઝઘડાને થોડી શરતો ઉપર ખતમ કરી દીધા હતા.

સ્ટે સચિવ આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે,અહીંયા અત્યાર સુધી સાસરિયાવાળને અને પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હોય અથવા પત્નીએ સાસરાંવાળા વિરુધ્દ ફરિયાદ દાખલ કરી હોય. પરંતુ એક દંપતી જેને 5 વર્ષના ઝઘડાનો સુખદ અંત લાવ્યો હતો.આ ઝઘડાનો અંત લાવવા માટે ના તો તેની કોઈ વકીલની જરૂર પડી કે આ તો કોઈ કાનુની હસ્તક્ષેપની. 10 વર્ષના લગ્નના જીવનના દંપતીએ થોડી શરતો પર સમાધાન કરી લીધું હતું.
પતિ અને પત્ની વચચે જે શરતો કરવામાં આવે હતી તેમાં નીચે મુજબ લખ્યું છે.
અઠવાડિયામાં 5 દિવસ પત્ની રસોઈ બનાવશે.ઘરની દેખભાળ રાખશે અને બાળકોને હોમવર્ક કરશે.શનિવાર અને રવિવારે આ કામ પતિ કરશે. બન્ને પક્ષના લોકોએ એકબીજાના માતા-પિતા વિષે કોઈ જ બોલચાલ નહીં કરે.

ઓફીસમાં મોડું થવાની હોય તો બન્ને એક બીજાને 2 કલાક પહેલા જાણ કરી દેવાની. જેથી બીજું ઘરે જઈને બાળકોને સાંભળી શકે.બન્ને તેના માતાપિતાને તેની ઈચ્છા મજબ પૈસા દઈ શકશે.
બાળકોના ભવિષ્ય માટે બને તેના એકાઉન્ટમાં થોડા પૈસા જમા કરાવવાના. બાળકોની સ્કૂલમાં થનારી પેરેન્ટ્સ મિટિંગમાં પતિ-પત્નીએ આર્ક-એક મહિના જવાનું રહેશે.
બન્ને માંથી કોઈ એક બહારગામ જવાનું હોય તો 5 દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. બંનેએ ઘરના ખર્ચનાસમાન ભાગે વહેચવાનો રહેશે. ખરીદેલું મકાન બન્નેના સંયુક્ત નામે અથવા બાળકોના નામે રહેશે.

આશુતોષ મિશ્રાએ આ દંપતીને તેની સમજદારીને લઈએં સમ્માન કકરી આ કેસને જિલ્લા અદાલતમાં મોકલવાની વાત કરી હતી. જેથી તેને કાનૂની માન્યતા મળી શકે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks