જયપુરમાં આયકર વિભાગને 100 કરોડની સંપત્તિની માલિકણ મળી છે. પરંતુ તે ઘર ચલાવવા માટે પાઈ-પાઈની મોહતાજ છે. ઇન્કમટેક્સ વિભાગે જયપુર-દિલ્લી હાઇવે પર 100 કરોડથી વધારે કિંમતની 64 વીઘા જમીન મળી છે. જેની માલિકણ એક આદિવાસી મહિલા છે.આદિવાસી મહિલાને તે પણ ખબર નથી કે,આ જમીન તેને ક્યારે ખરીદી છે અને ક્યાં ખરીદી છે. હાલ તો આયકર વિભાગ દ્વારા આ જમીનને પોતાના કબ્જામાં લઇ લીધી છે.

જયપુર- દિલ્લી હાઇવે પર દંડ ગામ પાસેની જમીનમાં ઈન્કમટેકસના અધિકારીઓએ બેનર લગાવી દીધું છે કે,બેનામી સંપત્તિના અધિનિયમ અનુસાર। આ સંપત્તિને બેનામી ઘોષિત કરવામાં આવે છે. સાથે જ ઇન્કમટેક્સ વિભાગઈ આ જમીનને પોતાના કબજમાં લઇ લીધી છે. 5 ગામની 64 વિઘાની જમીન પર બેનરમાં લખ્યું છે કે, આ જમીનની માલિકણ સંજુ દેવી મીણા છે. જે આ જમીનની માલિકણ ના હોઈ શકે. તેથી ઇન્કમટેક્સ દ્વારા આ જમીનને કબ્જામાં કરવામાં આવે છે. એક તપાસમાં ખબર પડી હતી કે,કુલ 36 હેકટર જમીન જુદા-જુદા 64 કાગળોના માધ્યમથી સંજુદેવીના નામથી ખરીદવામાં આવી હતી. પરંતુ તેનું 12.93 કરોડ રૂપિયા મુંબઈની મોટી કંપની ‘હેઝલનટ કંસ્ટ્રક્શનએ કર્યું હતું.

ઇન્કમટેક્સ વિભાગને જાણકારી મળી હતી કે દિલ્લી હાઈવે પર દિલ્લી અને મુંબઇના ઉધોગપતિઓએ આદિવાસીઓના નામ પર જમીન ખરીદી છે. આ ફક્ત કાગળ ઉપર જ લેણદેણ છે. કારણકે આદિવાસીઓની જમીન ફક્ત આદિવાસીઓ જ ખરીદી શકે છે. એક કાગળ પર ખરીદ્યા બાદ તે પોતાના લોકોના નામ પાવર ઓફ પેટરની સાઈન કરાવી લે છે. ત્યારબાદ આયકર વિભાગ દ્વારા તેના અસલી માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે જમીનની માલિકણ રાજસ્થાનના સીકર જિલ્લાના દિપાવાસ ગામમાં રહે છે. પહાડોની નીચે વસેલા આ ગામમાં પહોંચવું આસાન નથી.
સંજુ દેવીના પતિના મોત બાદ તેને કમાણીનું કોઈ સાધન રહ્યું ના હતું. ત્યારે બે દીકરીઓ ને 1 દીકરાના ભરણપોષણ માટે ખુદ મજૂરી કરે છે. સંજુ દેવી ખેતી સિવાય દૂધ વહેચીંને ઘર ચલાવે છે.

એક ઇન્ટરવ્યૂમાં સંજુ દેવી મીણાએ જણાવ્યું હતું કે, તેના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતા હતા.તે દરમિયાન 2006માં જયપુરના આમેલ લઇ જઈને એક જગ્યા પર અંગુઠોલગાડવમાં આવ્યો હતો. પરંતુ તેના પતિ 12 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. અને તે નથી જાણતી કે કઈ સંપત્તિ કોની પાસે છે. અને ક્યાં છે.પતિના મોટ બાદ કોઈ 5 હજાર રૂપિયા આપી જતું હતું. જેમાં તે અઢી હાજર તેની બેનને અને અઢી હજાર તે રાખતી હતી. પરંતુ ઘણા વર્ષોથી કોઈ પૈસા પણ નથી આવતા. મને તો આજે ખબર પડી કે મારી પાસે કેટલી સંપત્તિ છે.
ઇન્કમટેક્સના આ ખુલાસા બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કારણકે ગામ વાળનું કહેવું છે કે, કંપનીઓએ જમીન ખરીદી છે. એવું કહેવામાં આવે છે. પરંતુ કઈ કંપનીની જમીન છે તે જાણી નથી શકાતું.

છેલ્લા ઘણા વર્ષોમાં આયકર વિભાગ દ્વારા 1400કરોડનું જમીન જપ્ત કરી છે. જેમાં 69 કેસમાં કોર્ટ ફેંસલો આપી જમીન પર ઇનામ ઘોષિત કરી સરકારને પરત આપી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks