બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેમને મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે એવા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાની દીકરી નવ્યા નવેલી નંદાએ હાલમાં જ માનસિક તાણનો શિકાર થવાની વાત કબુલી છે અને તેના દવા શોધવા વિશે પણ ખુલાસો કર્યો છે.

એક સ્વાસ્થ્ય સંગઠન સાથે વાત કરવા દરમિયાન નવ્યાએ કથિત રીતે કહ્યું કે પહેલા તે ચિકિત્સા વિશે વાત કરવામાં સહજ નહોતી અનુભવી રહી. તેના માટે આ બધું જ નવું હતું. અને આના વિશે વાત કરતા પહેલા તે પોતે આ અનુભવવા માંગતી હતી.
View this post on Instagram
નવ્યાએ આગળ જણાવ્યું કે તેના પરિવારને ખબર હતી કે તે થેરેપી ઉપર છે. પરંતુ તેમને નહોતું લાગતું કે તેનો કોઈ મિત્ર આના વિશે જાણે છે. તેને એમ પણ કહ્યું કે તેને લાગતું પણ નહોતું કે આવનાર સમયમાં તે પોતાના મિત્રો સાથે આના વિશે વાત પણ કરીશ.

આ વિશે આગળ વાત કરતા નવ્યાએ જણાવ્યું કે “તમે બધા નીચેના અનુભવમાંથી પસાર થાવ છો. તમને અનુભવ થાય છે અને તેમની સાથે એવું કંઈક ખરાબ થયું છે. જોકે તેમને એ વાતની ખબર નથી પડતી કે આવું કેમ થયું છે. હવે જયારે તેની પાસે કોઈ છે, ત્યારે એ વિચારી રહી છે કે બધું જ તેના નિયંત્રણમાં છે.” નવ્યાએ આગળ કહ્યું કે “હવે તે એ વાતોને જાણે છે, જેના કારણે તેને આવા ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડ્યું છે.”

નવ્યાએ એ પણ કહ્યું કે જે વાતો તેને પ્રેરિત કરતી હતી અને તેને સારું અનુભવડાવતી હતી એ મુશ્કેલ સમયમાં પોતાને જ તેનાથી ઘેરી લે છે. તેને એમ પણ કહ્યું કે હવે મેં ત્યારથી શીખી લીધું છે કે તે ફક્ત એ લોકો પાસે સમય વિતાવશે જે લોકોએ તેને સારું અને ખુશમિજાજનો અનુભવ કરાવ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.