‘કરિશ્મા કપૂર લાલચી છે, તેને બસ…’ એક્સ પતિ સંજય કપૂરે આરોપ લગાવતા ખોલી હતી એક્ટ્રેસની પોલ

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનું અંગત જીવન ફિલ્મી રહ્યુ છે. કરિશ્માએ 90ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું પરંતુ તેનું અંગત જીવનમાં ખૂબ ઉતાર-ચઢાવ ભરેલુ રહ્યુ. કરિશ્મા પહેલા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ છેલ્લી ક્ષણે તે તૂટી ગયા. આ પછી કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને બે બાળકો કિયાન અને સમાયરા છે.

જો કે, કરિશ્મા-સંજયના લગ્ન ઘણા વર્ષો બાદ તૂટી ગયા. તેમના સંબંધો ઘણા ખરાબ તબક્કાઓમાંથી પસાર થયા. 2016માં આ કપલે છૂટાછેડા લીધા હતા. પણ આ બધું એટલું સરળ નહોતું. કરિશ્માએ સંજય અને તેના પરિવાર વિરુદ્ધ માનસિક અને શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવીને છૂટાછેડાની અરજી કરી હતી. બદલામાં સંજયે કોર્ટમાં કરિશ્મા પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજયના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે સંજયનું માનવું છે કે કરિશ્માએ તેની સાથે માત્ર પૈસા માટે લગ્ન કર્યા હતા. તે લાલચી છે. જો કે,બાદમાં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા પરંતુ બદલામાં કરિશ્માને સમાધાનમાં ઘણી વસ્તુઓ મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજયે કરિશ્માને મુંબઈના ખાર વિસ્તારમાં આવેલ એક ઘર આપ્યું હતું, જેની કિંમત કરોડોમાં હતી.

આ સિવાય સંજયે કરિશ્માને 14 કરોડ રૂપિયાના બોન્ડ આપ્યા હતા, જેનું માસિક વ્યાજ અંદાજે 10 લાખ રૂપિયા છે. આ સિવાય તે બાળકોના ઉછેર માટે દર મહિને કરિશ્માને મોટી રકમ પણ આપે છે કારણ કે બંને બાળકોની કસ્ટડી કરિશ્મા પાસે છે. છૂટાછેડા પછી કોર્ટે મંજૂરી આપી હતી કે સંજય તેના બે બાળકો સાથે વર્ષમાં બેથી ત્રણ મહિના પસાર કરી શકે છે.

સંજય ઈચ્છતો હતો કે બાળકો તેની સાથે રહે, જો કે કરિશ્મા પણ બાળકોને છોડવા માંગતી ન હતી.કરિશ્મા સાથે છૂટાછેડા બાદ સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા. કરિશ્મા કપૂરે 90ના દાયકામાં સિનેમાની દુનિયા પર રાજ કર્યું હતું. આ એ સમય હતો જ્યારે કલાકારો કરિશ્મા સાથે કામ કરવા ઉત્સુક હતા. તે દરેક યુવાન હૃદયના સપનાની રાજકુમારી હતી.

Shah Jina