પોતાના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2માં ઇસરો (ISRO) એ ચંદ્ર પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમનો સંપર્ક ગુમાવ્યા બાદ દેશવ્યાપી સમર્થનનો આભાર માન્યો છે. આખા દેશના લોકોએ જે રીતે ઇસરોને હિંમત આપી અને પ્રોત્સાહન આપ્યું તેનાથી ઇસરોના વૈજ્ઞાનિકોને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારે દુનિયાભરથી સમર્થન મળ્યા બાદ હવે ઇસરોએ ટ્વીટ કરીને પોતાના તમામ સમર્થકોને આભાર માન્યો છે.

ઇસરોએ ટ્વીટ કર્યું, ‘અમારી સાથે ઉભા રહેવા બદલ આભાર. અમે વિશ્વભરમાં ભારતીયોની આશા અને સપનાઓથી પ્રેરિત થઈને આગળ વધતા રહીશું!’ જણાવી દઇએ કે, 6-7ના મધરાતે સોફ્ટ લેન્ડિંગના પ્રયાસની અંતિમ ક્ષણોમાં, ચંદ્ર સપાટીથી અમુક જ મીટરની ઊંચાઈએથી લેન્ડર વિક્રમનો ઇસરોના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ચુક્યો હતો.
Thank you for standing by us. We will continue to keep going forward — propelled by the hopes and dreams of Indians across the world! pic.twitter.com/vPgEWcwvIa
— ISRO (@isro) September 17, 2019
જો કે આ ઐતિહાસિક મૂન લેન્ડિંગના પ્રયાસની ભારત અને વિદેશમાં પ્રશંસા કરવામાં આવી હતી. આ સમયે વડાપ્રધાન મોદી પણ ત્યાં ઇસરોના કંટ્રોલ રૂમમાં હતા, જ્યારે વિક્રમ લેન્ડરનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો. સંપર્ક ગુમાવ્યા બાદ પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને પણ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે હું તમારી સાથે છું અને આખો દેશ તમારી સાથે છે. બીજી તરફ નાસા પણ ઇસરોને વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવામાં મદદ કરી રહ્યું છે. ઇસરોના એક અધિકારીએ જણાવ્યું કે યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) વિક્રમને રેડિયો સિગ્નલ મોકલી રહી છે. ઇસરોના એક અધિકારીએ કહ્યું કે, ‘ચંદ્રની સપાટી પર પડેલા વિક્રમ સાથે સંપર્ક ફરીથી સ્થાપિત કરવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો 20-21 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે, જ્યા સુધી સૂર્યનો પ્રકાશ એ વિસ્તારમાં હશે કે જ્યા વિક્રમ ઉતાર્યું છે.’

ઇસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે મિશનનો માત્ર 5 ટકા ભાગ જ પ્રભાવિત થયો છે. 95 ટકા હિસ્સો કામ કરવાનું ચાલુ રાખશે. 5 ટકા ભાગમાં, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સંપર્ક તૂટી ગયો છે. આને કારણે, ચંદ્રની સપાટી વિશેની માહિતી ઉપલબ્ધ થશે નહીં, પરંતુ મિશનનો અન્ય 95 ટકા સક્રિય ભાગ અન્ય પ્રકારની માહિતી મેળવતો રહેશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની આસપાસ સતત ફરતું રહેશે અને તેના દ્વારા ઇસરો વૈજ્ઞાનિકોને માહિતી મળશે. મિશન ચંદ્રયાન-2નું ઓર્બિટર આગામી એક વર્ષ સુધી કાર્યરત રહેશે. ઓર્બિટર ચંદ્રના અનેક પ્રકારનાં ફોટોગ્રાફ્સ પૃથ્વી પર મોકલશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks