શરદી-ખાંસી અને કબજિયાત માટે આ બે વસ્તુ છે રામબાણ ઈલાજ!
શિયાળો શરૂ થતા ઘરની અંદર કેટલીય એવી વસ્તુઓ બનવા લાગશે જે ઠંડી અને તેના કારણે શરીરમાં ઉભી થનારી તકલીફો સામે રક્ષણ આપતી હોય. શિયાળામાં ઘણી વસ્તુઓ એવી પણ હોય છે જે શરીર માટે ખુબ જ ગુણકારી પણ હોય છે. કહેવાય છે કે શિયાળા દરમિયાન ખાવામાં આવેલી આ વસ્તુઓ આખું વર્ષ શરીરને ફાયદો આપતી રહી છે.

આજે અમે એવી જ બે વસ્તુઓ તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે શરીરની કેટલીક બીમારીઓને દૂર કરી શકશો તેમજ શરદી, ખાંસી અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકશો. તો ચાલો જાણીએ કઈ છે એ બે વસ્તુઓ..

ગોળ:
ગોળ મોટાભાગે લોકોને ખાવો ગમતો હોય છે. ઘરમાં પણ તેનો બારેમાસ વપરાશ કરવામાં આવે છે. ગોળના ખાવાના કેટલાક ફાયદાઓ આપણે જાણીએ છીએ પરંતુ શિયાળામાં પણ ગોળ ખાવાના ઘણા ફાયદાઓ છે. ગોળની તાસીર ગરમ હોય છે. જેના કારણે શિયાળાની ઠંડીમાં તે શરીરની અંદર ગરમાહટ ઉત્પન્ન કરે છે. શિયાળાની અંદર જો તમે રોજ ગોળ ખાવાનો શરૂ કરો છો તો તમને શરદી, ખાંસી અને જુકામની સમસ્યામાં રાહત મળે છે.

ઠંડીના દિવસોમાં લોહીનો પ્રવાહ પણ શરીરમાં ધીમો થઇ જતો હોય છે. પરંતુ જો તમે નિયમિત ગોળ ખાવાનનું રાખશો તો લોહીના પ્રવાહને નિયંત્રણમાં રાખવાનું પણ એ કામ કરે છે. ગળા અને ફેફસામાં ઠંડીના સમયમાં કફ જામી જવાની પણ સમસ્યા રહેતી હોય જે નિયમિત ગોળ ખાવાના કારણે આ સમસ્યા પણ દૂર થાય છે.

ગોળ મેગ્નેશિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીઓ, નસો અને રક્તવાહિનીઓને થાકથી રાહત મળે છે. લોહીની ઊણપને દૂર કરવામાં પણ ગોળ ખુબ જ ફાયદાકારક છે. જમ્યા પછી જો તરત થોડો ગોળ ખાવામાં આવે તો તે પાચનતંત્ર માટે પણ ખુબ જ ફાયદાકારક બને છે. તેનાથી તમને કબજિયાતમાં પણ રાહત મળે છે.

પેઠા:
પેઠા નામ જ મોઢામાં પાણી લાવે તેવું હોય છે અને પેઠાનું નામ આવે એટલે આગ્રાના પેઠા જરૂર યાદ આવે. પેઠાની અંદર ખનીજ પદાર્થો, વિટામિન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલા છે જેના ખાવાના પણ ઘણા જ ફાયદાઓ છે. શિયાળાની અંદર તે પણ ખુબ જ લાભદાયી નિવળે છે. જે લોકોને માથું દુખવાની સમસ્યા રહેતી હોય અને જે લોકો માનસિક તાણથી હેરાન થતા હોય તેવા લોકોને પેઠાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહે છે.

પેઠાનું સેવન કરવાથી કબ્જ અને એસીડીટી જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. પેઠાની અંદર રેશા રહેલા છે જે પાચન ક્ષમતામાં વધારો કરે છે અને પેઠમાં ઠંડક પણ પહોંચાડે છે જેના કારણે કબ્જ અને એસીડીટી દૂર રહે છે. અસ્થમાના દર્દીઓ જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને જેને વારંવાર ફેફડામાં કફ જામી જતો હોય તેવા લોકોએ પણ નિયમિત પાને પેઠાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. આ દર્દીઓને પેઠા ખાવાથી ઘણી જ રાહત મળે છે.

પેઠા 100 ટકા ક્ષારીય ખોરાક છે જે શરીરમાં લોહીનો સંચારને પણ નિયમિત રીતે પ્રવાહિત કરવામાં મદદગાર છે. પેઠાનું નિયમિત સેવન શરીરની અંદરની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. જમ્યા પછી જો પેઠા ખાવામાં આવે તો શરીરની પાચન ક્રિયા પણ ઝડપી બને છે અને તેના કારણે કબ્જ અને એસીડીટીની સમસ્યા પણ દૂર થાય છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.