દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા, ઘેરા અને સુંદર હોય. પણ આજની જીવનશૈલી, તણાવ, ખાણી-પીણી અને પ્રદુષણને લીધે મહિલાઓની આ ઈચ્છા અધૂરી જ રહી જાય છે, અને આ બધી સમસ્યાઓને લીધે મહિલાઓમાં વાળ ખરવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે.

જો કે મહિલાઓ પોતાના વાળને બચાવવા માટે જાત જાતની હેર પ્રોડક્ટનો ઉપીયોગ કરે છે, પણ કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાળને નુકસાન પહોંચાડી રહ્યા છે. પણ તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે વાળને ઘેરા-કાળા બનાવવા માટે અમુક ઘરેલું ઉપાય તમારા માટે કારગર સાબિત થઇ શકે છે. જાણો આ ઉપાયો વિશે.
1. બટેટાનો રસ:

બટેટાનો રસ વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે અને લાંબા કરવા માટે ખુબ મદદ કરે છે. બટેટામાં રહેલું વિટામિન ‘બી’ તમારા વાળને મજબૂત અને લાંબા બનાવે છે. બે કે ત્રણ બટેટાને પીસીને તેનું જ્યુસ કાઢી લો અને વાળ ધોવાના 15 મિનિટ પહેલા રસને માથામાં લગાવી લો. 15 મિનિટ પછી શેમ્પુથી ધોઈ લો. તમારે આ ઉપાય અઠવાડિયામાં 1 વાર કરવાનો રહેશે.
2. ઑલિવ ઑઈલ:

ઑલિવ ઑઇલ વાળ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. ઑલિવ ઑઇલમાં જીંક, કેલ્શિયમ, સલ્ફર અને વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે વાળને એકદમ સ્વસ્થ રાખે છે. ઑલિવ ઑઇલ વાળને જરૂરી પોષણ આપે છે, જેનાથી વાળનું ખરવું ઓછું થઇ જાય છે અને વાળ સ્વસ્થ અને સુંવાળા બને છે. આ ઉપાય માટે ઑલિવ ઑઇલને હલકું ગરમ કરી લો અને માથામાં 45 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી એ કોશિશ પણ કરો કે વાળમાં તેલ પુરી રીતે લાગેલું રહે. તેના પછી વાળને શેમ્પુથી ધોઈ લો.
3. આમળાં:

આમળાં તમારા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ ખુબ સારા માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા વાળ માટે ખુબ જ સારું છે. આમળાં પાઉડર અને લીંબુના રસને એકસમાન માત્રામાં ભેળવી લો. હવે આ મિશ્રણને વાળમાં લગાવો. અમુક સમય સુધી તેને વાળમાં લગાવેલું જ રાખો, પછી વાળને હલકા ગરમ પાણીથી ધોઈ લો.
4. એલોવેરા:

પેટથી લઈને ઇજા સુધી અને વાળથી લઈને ચેહરા સુધી એલોવેરા આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. ઍલોવેરામાં ક્લિનજિંગ અને મોઇશ્ચરાઇઝર જેવા ગુણ હોય છે. તે વાળના મૂળને પોષણ આપે છે અને વાળના ગ્રોથને પણ વધારે છે. એલોવેરા જેલને તમે મહિનામાં બે વાર વાળમાં લગાવી શકો છો. તેની સાથે નારિયેલ તેલ પણ ભેળવીને લગાવી શકો છો જે વાળને જલ્દી અસર કરે છે.
5. લીંબુનો રસ:

લીંબુનો રસ પણ વાળને લાંબા, ઘેરા અને સ્વસ્થ બનાવે છે અને ખોળાની સમસ્યાથી પણ બચી શકાય છે. તેના માટે 2 ચમચી લીંબુના રસમાં થોડું નવશેકું પાણી ભેળવીને તેલની જેમ માથામાં માલિશ કરો. લગાવ્યા પછી તેને 30 મિનિટ સુધી વાળમાં જ રહેવા દો. તેના પછી વાળને શેમ્પુથી નવશેકા પાણી સાથે ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.