થાઈલેન્ડના ફૂકેટ આઈલેન્ડ પરનો બીચ ખુબ ચર્ચિત છે જે ટુરિસ્ટ માટે થાઈલેન્ડના સૌથી લોકપ્રિય બીચમાંનો એક બીચ પણ છે, જે મોટાભાગે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.થાઇલેન્ડ આવતા પ્રવાસીઓ આ બીચની મુલાકાત ચોક્કસ લે છે.પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બીચ પર સેલ્ફી લેવી મૃત્યુની સજા બની શકે છે.

રજામાં થાઈલેન્ડ જાનારા લોકો માટે આ જાણકારી ખુબ જ જરૂરી છે. ત્યાંની સરકારે એક નવો કાયદો બનાવ્યો છે જેના ચાલતા જો ફૂકેટ બીચ પર તમે સેલ્ફી લેતા પકડાઈ જાઓ તો તમને મૃત્યુની સજા થઇ શકે છે.જણાવી દઈએ કે સમુદ્રી કિનારા ફૂકેટ ઈન્ટરનેશલ એરપોર્ટની એકદમ નજીક છે જેને લીધે વિમાનો અહીં ખુબ નીચે ઉડી રહ્યા હોય છે.

ફ્લાઇટ એકદમ નીચે ઉડવાને લીધે બીચ પર ફરી રહેલા પર્યટકોને તેની સાથે સેફલી લેવાની ઈચ્છા થઇ જાય છે. થાઈલેન્ડના સુરક્ષા અધિકારીઓના અનુસાર સેલ્ફી લેવાથી પાઇલોટનું ધ્યાન ભટકી શકે છે જે એક ગંભીર અકસ્મતાનું રૂપ પણ લઇ શકે છે.

અધિકારીઓના અનુસાર નિયમ તોડનારા પર્યટકોને મોટાભાગે મૃત્યુની સજા પણ આપી શકાય છે તેના માટે બીચ પર એક ઘેરાવ બનાવવામા આવશે,જ્યાં ટુરીસ્ટને સેલ્ફી લેવાની મનાઈ કરવામાં આવશે.

ફૂકેટ આઇલેન્ડ પર સ્થિત એરપોર્ટ ખુબ જ વ્યસ્ત રહે છે અને અહીં લોકો એકદમ નજીક ઉડી રહેલા વિમાનો સાથે મોટાભાગે સેલ્ફી લેતા નજરમાં આવે છે જેને લીધે આ નિયમ બનાવવો પડ્યો છે.

તેની પાછળ સમસ્યા એ છે કે લોકો દ્વારા લેવામાં આવતી સેલ્ફી કે ફોટોને લીધે ફલૈશ લાઇટને લીધે પાઇલોટનું ધ્યાન વળી શકે છે એવામાં ઘણી વાર દુર્ઘટના પણ થાતાં થતા બચી છે. જેના ચાલતા હવે ફૂકેટ સમુદ્રી કિનારા પર સેલ્ફી કે ફોટો લેવાની મનાઈ કરવામાં આવી છે.

કાયદાના આધારે નિયમ તોડવા પર ભારે દંડ ભરવું પડી શકે છે કે પછી મૃત્યુની સજા.સ્થાનીય લોકોનું કહેવું છે કે આ બાબતમાં મૃત્યુની સજા આપવી થોડી વિચિત્ર અને અમાન્ય વાત લાગે છે. માત્ર ટુરિસ્ટ જ નહિ પણ સ્થાનીય લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં પ્લેન આવવા પર કોઈ ડ્રોન,કેમરા કે ફલૈશ લાઇટનો ઉપીયોગ ના કરો.

સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરોમાં વિમાનો ટુરિસ્ટની એકદમ નજીકથી પસાર થયેલા દેખાઈ રહ્યા છે.જેનાથી એરપોર્ટ અધિકારીઓ હેરાન થઇ ગયા છે કે પહેલા ચેતવણી આપવા છતાં પણ ટુરિસ્ટ અહીં સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે માટે આવા કડક નિયમો બનાવાની ઘોષણા કરી છે.

લોકોના મતના અનુસાર જો આવા નિયમો બનાવવા જ છે તો સરકાર સમુદ્રી કિનારાના તે હિસ્સા ને જ બંધ કરી દે જ્યાંથી વિમાનોનું આવન-જાવન થાતું હોય. જો કે આવા નિયમોથી પર્યટકો દ્વારા થાતી કમાણી પણ અસર પડી શકે છે અને પર્યટકોની સંખ્યા પણ ઓછી થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks