“દીકરાને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, પત્નીને જાદુ કરી દીધો !” પિતાના નિવેદન બાદ રવિન્દ્ર જાડેજાએ કહ્યું, “મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે…”

રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ હવે જાહેર થઇ રહ્યો છે, પિતાએ પુત્રવધુ રીવાબા પર લગાવ્યો આરોપ તો જાડેજાએ આપ્યો આ જવાબ… જુઓ

Ravindra Jadeja Family Controversy : આપણા દેશમાં  સ્વાભાવિક રીતે પરિવારમાં ઝઘડા થતા હોય છે અને ઘણીવાર ઝઘડા એવા વધી જાય છે કે તે જાહેરમાં પણ ચર્ચાવવા લાગે છે. ત્યારે ઘણા સેલેબ્રિટીઓના પરિવારમાં પણ આવું થતું જોવા મળે છે અને આવા વિવાદો જાહેર થતા જ ચર્ચાનો માહોલ ગરમ કરતા હોય છે. હાલ આવું જ કંઈક ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ થતું જોવા મળી રહ્યું છે.  જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની ગયું છે.

પિતાએ લગાવ્યા હતા રીવાબા પર આરોપ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં જ તેમના દીકરા અને પુત્રવધુથી અલગ રહેવાની વાત જણાવી હતી અને રીવાબા પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. અનિરુદ્ધ સિંહે એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે “તેના પુત્ર રવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે તેને કોઈ સંબંધ નથી. તેઓ તેમનાથી અલગ રહે છે. આ ઉપરાંત જાડેજાના પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો છે.”

રવિન્દ્ર જાડેજાએ આપ્યો જવાબ :

ત્યારે હવે આ મામલે રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વિટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “હાલમાં (એક મીડિયા)ને અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપતિની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર !”

અલગ રહે છે પિતા :

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહને દાવો કર્યો હતો કે “તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી.”

ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું :

તેમને આગળ એમ પણ જણવ્યું હતું કે “પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત. રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. મારી દીકરી નયનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે. ” ત્યારે હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Niraj Patel