શાહરૂખ ખાનની આ અભિનેત્રીએ કરી લીધા લગ્ન ! દુલ્હનને જોઇ દુલ્હો થયો ભાવુક- જુઓ વીડિયો

શાહરુખની હિરોઈન માહિરા ખાને કર્યા બીજા લગ્ન, અભિનેત્રીને દુલ્હનના જોડામાં જોઇ છલકાયા દુલ્હે મિયાના આંસુ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Mahira Khan wedding: શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં જોવા મળેલી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેના બીજા લગ્ન. માહિરા ખાને તેના બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, અભિનેત્રીના આ બીજા લગ્ન છે. અભિનેત્રીના મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર લગ્નના વીડિયો શેર કર્યા છે, જેમાં માહિરા પેસ્ટલ લહેંગામાં જોવા મળી રહી છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઇસ’ એક્ટ્રેસે કર્યા બીજીવાર લગ્ન
આ સાથે જ અભિનેત્રીએ લાંબો દુપટ્ટો પણ કેરી કર્યો હતો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યુ. જો કે, માહિરાના લગ્નનું લોકેશન હજુ સુધી સામે આવ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, માહિરા ખાનના પહેલા લગ્ન વર્ષ 2007માં અલી અક્સરી સાથે થયા હતા. બંનેની મુલાકાત લોસ એન્જલસમાં થઈ હતી. અલી એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હોવાનું કહેવાય છે.

દુલ્હો બન્યો સલીમ કરીમ
માહિરા 24 વર્ષની ઉંમરે એક પુત્રની માતા બની હતી પણ 2015માં બંનેના છૂટાછેડા બાદ પુત્રની કસ્ટડી તેને મળી હતી. જો કે, હવે માહિરાને તેનો જીવનસાથી મળી ગયો છે. સલિમ કરીમ વ્યવસાયે બિઝનેસમેન છે. અહેવાલો અનુસાર, કપલે તેમની નવી સફર શરૂ કરવા માટે પંજાબ, પાકિસ્તાનમાં એક શાંત હિલ સ્ટેશન પસંદ કર્યું, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

દુલ્હનના જોડામાં પોતાની દુલ્હનને જોઇ થયો ભાવુક
જો કે, આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અભિનેત્રીએ આ પહેલા તેના પતિ સાથેની ઘણી તસવીરો પણ શેર કરી હતી. લગ્નના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં જોઇ શકાય છે કે દુલ્હનના જોડામાં માહિરા જેવી લાંબો ઘુંઘટ પહેરીને તેના દુલ્હા પાસે જાય છે ત્યારે આ જોઈને સલીમ ઈમોશનલ થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ સરી પડે છે.

2020માં માહિરાએ કરી હતી સલીમને ડેટ કરવાની કબૂલાત
જણાવી દઈએ કે માહિરાએ 2020માં એક ઈન્ટરવ્યુમાં પહેલીવાર સલીમ વિશે વાત કરી હતી. માહિરાએ કબૂલાત કરી હતી કે તે સલીમને ડેટ કરી રહી છે. માહિરાએ કહ્યું હતું કે, ‘હમસફરમાં એક પંક્તિ છે જે મને સુંદર લાગી, જ્યાં અશર ખિરદને કહે છે, ‘ખબર નહિ તમે મને કઇ નેકીના બદલામાં મળ્યા છો અને હું તેમના વિશે એવું જ વિચારું છું. મેં મારા જીવનમાં જરૂર કંઈક સારું કર્યું હશે કે ઈશ્વરે તેમને મારી પાસે મોકલ્યા.’

 

View this post on Instagram

 

A post shared by Maliha Rehman (@maliharehman1)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina
error: Unable To Copy Protected Content!