બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન અને અન્ય આરોપીઓની મુંબઈથી ગોવા જતી ક્રુઝ પર જઈ રહેલી ડગ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આર્યન તથા અન્ય આરોપીઓને કોર્ટ દ્વારા 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. તે અન્ય આરોપીઓ સાથે આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરુખ અને ગૌરી દીકરાની ચિંતામાં ઊંઘી શકતા નથી, તેઓ સારી રીતે ખાતા -પીતા નથી અને તેમના પુત્રની ચિંતા કરે છે.
ગૌરી ખાને તાજેતરમાં જ આર્યન સાથે એક વીડિયો કોલ પર વાત કરી હતી, જે દરમિયાન એકબીજાને જોયા પછી બંનેના આંસુ અટકતા નહોતા. નવરાત્રીના સમયથી પણ ગૌરીએ પોતાની જાતને મીઠાઈઓથી દૂર રાખી છે. હવે રીપોર્ટ્સ એવા છે કે ખાન પરિવાર આર્યનની જમાનત પહેલા પરિવાર તહેવારથી દૂર રહેશે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ગૌરીએ ‘મન્નત’માં તેના સ્ટાફને કહ્યું છે કે જ્યાં સુધી આર્યન ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી ઘરમાં મીઠાઈ બનાવવામાં આવશે નહીં. શાહરૂખ ખાનની પત્નીને ખબર પડી હતી કે સ્ટાફ બપોરના સમયે રસોડામાં ખીર બનાવી રહ્યો છે અને પછી તેણે તરત જ તેમને રોકી અને આર્યન છૂટે નહિ ત્યાં સુધી કોઈ મીઠાઈ ન બનાવવાની સૂચના આપી.
ગૌરી તેના પુત્રની ધરપકડથી ખૂબ જ નારાજ છે અને સતત તેના માટે પ્રાર્થના કરી રહી છે. બીજી બાજુ, શાહરૂખે ઇન્ડસ્ટ્રીના તેના મિત્રોને આ મુશ્કેલ સમયમાં મન્નતમાં આવવાનું ટાળવા વિનંતી કરી છે. તે ફોન કોલ્સ દ્વારા તેના સહ-કલાકારો અને મિત્રો સાથે સંપર્કમાં છે. તેણે ફિલ્મનું શુટિંગ પણ કેન્સલ કર્યુ છે. આ પહેલા એવી ખબર આવી હતી કે ગૌરીએ આર્યન માટે વ્રત કર્યું છે અને તે સતત પ્રાર્થના કરી રહી છે. 7 ઓક્ટોબરે નવરાત્રિ શરૂ થઈ ત્યારથી તેણે મીઠાઇ છોડી દીધી.