જન્માષ્ટમીના દિવસે કરો આ કામ, જીવનમાં આવશે અઢળક ખુશી

જન્માષ્ટમીના દિવસે આ 5 વસ્તુઓ કરો કૃષ્ણને અર્પણ

જન્માષ્ટમીના દિવસે કાનુડાના જન્મદિવસ નિમિત્તે લોકો તેને પ્રસન્ન કરવા માટે પૂજા, ઉપવાસ અને ભજન-કીર્તન કરે છે. આ સાથે, આ પ્રસંગે મંદિરો અને ઘરોમાં શોભાયાત્રા અને દહી હાંડી ફોડવાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, પરંતુ જન્માષ્ટમીના દિવસે, જો તમે અન્ય વસ્તુઓ સાથે કેટલાક ઉપાયો અપનાવો છો, તો કૃષ્ણની તમારા પર વિશેષ કૃપા કરી શકે છે. આવો, આપણે જાણીએ કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે શું ઉપાય કરવા જોઈએ.

ચાંદીની વાંસળી અર્પિત કરો: કૃષ્ણ જન્માષ્ટમી પર, તમારે પૂજા, ભોગ અને કીર્તન જેવા કાર્યક્રમો સાથે કાનુડાને ચાંદીની વાંસળી અર્પણ કરવી જોઈએ. આનાથી ભગવાન કૃષ્ણની તમારા પર વિશેષ કૃપા થઈ શકે છે. આ માટે તમારી ક્ષમતા મુજબ નાની કે મોટી વાંસળી બનાવડાવો. કાન્હાના ચરણોમાં અર્પણ કર્યા બાદ વાંસળીની પણ પૂજા કરો. જન્માષ્ટમી પછી, તમે આ વાંસળી તમારા પર્સમાં અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી શકો છો.

છપ્પન ભોગ અર્પણ કરો: ધાર્મિક માન્યતા અનુસાર, જન્માષ્ટમી નિમિત્તે કાન્હાની પૂજા કર્યા બાદ જો તેને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે તો ભગવાન તેનાથી પણ પ્રસન્ન થાય છે અને તેને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

પારિજાત ફૂલો અર્પણ કરો: જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પારિજાત ફૂલો અર્પણ કરવાથી પણ તેઓ તેમના આશીર્વાદ વરસાવે છે. એવું કહેવાય છે કે પારિજાતના ફૂલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે, તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાનને પારિજાત ફૂલો અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

શંખમાં દૂધ લઈને અભિષેક કરો: માન્યતા અનુસાર શંખ વિષ્ણુને ખૂબ પ્રિય છે અને તે હંમેશા તેના હાથમાં હોય છે. તેથી, જન્માષ્ટમીના દિવસે, શ્રી કૃષ્ણના જન્મ સમયે, જો શંખમાં દૂધ નાખીને તેમને અભિષેક કરવામાં આવે, તો ભગવાન તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. આમ કરવાથી ભગવાનની વિશેષ કૃપા ભક્તો પર રહે છે.

મોરપીંછ અર્પણ કરો: ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને મોરના પીંછા(મોરપંખ) અર્પણ કરી શકો છો. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના મુગટ પર મોરના પીંછા લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે.

Patel Meet
error: Unable To Copy Protected Content!