ફક્ત 15 મિનિટની મુલાકાતમાં આ 16 વર્ષના છોકરાથી ઈમ્પ્રેસ થઇ ગયા હતા રતન ટાટા, કહ્યું હતું, “આ તો દેશની દિશા બદલી નાખશે..” જુઓ કોણ છે તે

આખરે કોણ છે એ છોકરો જેણે પકડ્યો છે રતન ટાટાનો હાથ અને ઉજવી રહ્યો હતો જન્મ દિવસ, વાયરલ થયો વીડિયો, જુઓ

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નામ દિગ્ગજ ઉદ્યોગપતિઓમાંનું એક છે. ટાટા ગ્રૂપને વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ હાઉસમાંથી એક બનાવવામાં રતન ટાટાની ભૂમિકા નિર્ણાયક છે. રતન ટાટાએ ગઈકાલે 28 ડિસેમ્બરે તેમનો 85મો જન્મદિવસ ઉજવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે તેમનો જન્મદિવસ તેમના નજીકના લોકો સાથે ખૂબ જ સાધારણ રીતે ઉજવ્યો. સોશિયલ મીડિયા પર ફરી એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવક બિઝનેસમેન રતન ટાટા સાથે જન્મદિવસ મનાવતો જોઈ શકાય છે.

જણાવી દઈએ કે આ વીડિયો બે વર્ષ જૂનો છે, જે જન્મદિવસના અવસર પર વાયરલ થયો હતો. રતન ટાટા સાથે દેખાતો આ યુવક બીજો કોઈ નહીં પણ યુવા ઉદ્યોગસાહસિક અર્જુન દેશપાંડે છે. માત્ર 16 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર અર્જુનથી રતન ટાટા ખૂબ જ પ્રભાવિત થયા હતા, ત્યારબાદ તેઓ અવારનવાર રતન ટાટાને મળતા રહે છે.

ઉદ્યોગપતિ રતન ટાટાએ યુવા ઉદ્યોગસાહસિક અર્જુન દેશપાંડેના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ રતન ટાટાને કેવી રીતે મળ્યા. અર્જુને જણાવ્યું કે જ્યારે હું મારા સ્ટાર્ટઅપ વિશે TED Talk પર ગયો, ત્યારે તેનો વીડિયો રતન ટાટા સુધી પહોંચ્યો અને તેમને તે ખૂબ જ ગમ્યો. આ પછી તેમના તરફથી એક દિવસ મળવાનો પ્રસ્તાવ આવ્યો અને મને તેની જાણ થતાં જ હું આશ્ચર્યચકિત થઈ ગયો.

તેણે આગળ કહ્યું કે, 10-15 મિનિટની બેઠકમાં હું ખૂબ જ નર્વસ હતો. મેં મારો વિચાર શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે દવાઓ લોકોને પોસાય તેવા ભાવે પહોંચાડી શકાય. મારા સ્ટાર્ટઅપ વિશે સાંભળીને તે ખૂબ જ ખુશ થયા અને રોકાણ કરવા સંમત થયા. રતન ટાટા સાથે અર્જુન દેશપાંડેની ઘણી તસવીરો વાયરલ થઈ છે.

ગત બુધવારે રતન ટાટાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા તેણે કેપ્શનમાં લખ્યું, “આજે રતન ટાટા સરનો જન્મદિવસ છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું તેમની સાથે સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારીઓ માટે કામ કરી રહ્યો છું. જ્યારે પણ હું તેમને મળું છું, દરેક વખતે તેઓ તેમના વિશે પૂછતા રહે છે. મારું સ્વાસ્થ્ય, મારા સ્ટાર્ટઅપ વિશે. તેમની સાથેની દરેક મુલાકાત મને નવી પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. જ્યારે તેમનો હાથ મારા માથા પર હોય છે, ત્યારે લાગે છે કે દુનિયાના આશીર્વાદ વરસી રહ્યા છે. તેમના આશીર્વાદ જળવાઈ રહે, હું તેમની સાથે ખીલતો રહું. સ્નેહ અને હું તેમના સપનાને સાકાર કરી શકું.”

Niraj Patel