ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો આટલા કરોડમાં, પપ્પા ચલાવે છે બુટ-ચપ્પલની દુકાન, IPL ઓક્શનમાં ચમકી ગઈ આ ખેલાડીની કિસ્મત

ભલે IPL 2022ની હરાજી પૂરી થઈ ગઈ. પરંતુ પ્રથમ વખત ટી20 લીગમાં પ્રવેશી રહેલા ખેલાડીઓ માટે ખુશીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા એવા અનકેપ્ડ ખેલાડીઓ છે પહેલીવાર આ આઇપીએલ ટી-20ના જંગમાં સામેલ થશે. અને પોતાના પર્ફોમન્સથી ટીમનું નામ રોશન કરશે.

આવો જ એક ખેલાડી છે અભિનવ મનોહર. આ 27 વર્ષીય ખેલાડીને 5 વર્ષ પહેલા ટ્રાયલ દરમિયાન સારૂ પ્રદર્શન ન કરવાને કારણે મુંબઈ ઈન્ડિયન્સમાં તક મળી ન હતી. નાની બહેન શરણ્યા સદારંગાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને જર્મની તરફથી રમે છે. પિતાની બુટ-ચપ્પલની દુકાન છે. આવી સ્થિતિમાં મનોહર સતત મહેનત કરતો રહ્યો અને હવે તેનું IPL રમવાનું સપનું પણ સાકાર થયું છે.

હાર્દિક પંડ્યાના સુકાની ગુજરાત ટાઇટન્સે તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે અભિવનની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી, પરંતુ ઘણી ટીમોએ તેને ખરીદવા માટે બોલી લગાવી અને અંતે ગુજરાત જીત્યું. જાણીતું છે કે T20 લીગની વર્તમાન સિઝનમાં 10 ટીમો મેદાનમાં ઉતરશે. હરાજીમાં 200થી વધુ ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા.

હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અભિનવ મનોહર કયા રાજ્યનો ક્રિકેટર છે અને તેની અત્યાર સુધીની કારકિર્દી કેવી રહી છે. અભિનવ કર્ણાટકના બેંગ્લોરનો છે. આ 27 વર્ષીય ક્રિકેટરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તાજેતરની સીઝનમાં ડેબ્યુ કર્યું છે. તે હજુ પણ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં છે.

અભિનવ જમણા હાથનો બેટ્સમેન અને લેગ બ્રેક સ્પિનર ​​છે, તે તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. ઘણા લોકો તેની સરખામણી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પણ કરે છે. તેની રમવાની શૈલી પંડ્યા જેટલી જ વિસ્ફોટક છે. આ જ કારણ છે કે તેને IPL માટે સારો ખેલાડી માનવામાં આવે છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં અભિનવની કારકિર્દી પણ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે અને અત્યાર સુધી તે સ્થાનિક ક્રિકેટમાં માત્ર 4 મેચ રમ્યો છે. જો કે આ ચાર મેચમાં તેણે પોતાની તોફાની બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 4 મેચોમાં અભિનવ મનોહરે શાનદાર એવરેજથી 162 રન બનાવીને ખળભળાટ મચાવ્યો હતો. ખાસ વાત એ છે કે તેણે એક મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. તેણે 4 મેચમાં 11 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ જ કારણ હતું કે તેને હરાજીમાં સારી એવી રકમ મળી હતી.

ક્રિકઇન્ફો સાથે વાત કરતાં અભિનવ મનોહરે કહ્યું, ‘હરાજીને કારણે હું ઊંઘી શક્યો નહીં. છેલ્લા એક અઠવાડિયાથી, હું ભાગ્યે જ રાત્રે 3 થી 4 કલાક ઊંઘી શકતો હતો. તે ઉત્તેજના અને નર્વસનેસને કારણે હતું. મારા મગજમાં આ જ ચાલી રહ્યું હતું.’ જો કે, અભિનવ 3 મહિના પહેલા સુધી અહીં આવવાનું વિચારી પણ શક્યો ન હતો, કારણ કે કર્ણાટકની ટીમમાં તેનું સ્થાન પણ નિશ્ચિત નહોતું. પરંતુ કરુણ નાયર સારા ફોર્મમાં નહોતો. આ સિવાય દેવદત્ત પડિક્કલ, મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ મુશ્તાક અલી ટ્રોફી માટે ઉપલબ્ધ નહોતા.

Niraj Patel