બેહોંશ થઇને પડ્યા વિનોદ કાંબલી, બગડી હાલત- હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ; જુઓ લેટેસ્ટ તસવીરો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં હતા. તાજેતરમાં, કાંબલીએ મુંબઈના શિવાજી પાર્કમાં રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે શનિવારે અચાનક કાંબલીની તબિયતમાં સમસ્યા જોવા મળી અને તે બેભાન થઈ ગયા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

બગડતી તબિયતના કારણે થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંબલીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેમના મગજમાં બ્રેઈન ક્લોટ્સ છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યની ચિંતા વધી ગઈ છે. અહેવાલો અનુસાર, 52 વર્ષીય કાંબલીની સ્થિતિ નાજુક પણ હાલમાં સ્થિર છે, તેમણે હોસ્પિટલમાંથી પોતાનું પહેલું નિવેદન જારી કર્યું અને સતત સમર્થન માટે ડૉક્ટરોનો આભાર માન્યો.

ખાસ વાત એ છે કે હોસ્પિટલના ઈન્ચાર્જે કાંબલીને જીવનભર મફત સારવારની ખાતરી આપી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કાંબલીએ કહ્યું, “હું અહીંના ડોક્ટરોને કારણે જીવિત છું. હું એટલું જ કહેવા માંગુ છું કે સર (ડોક્ટર) મને જે કહેશે તે હું કરીશ. લોકો જોશે કે હું તેમને કેવી રીતે પ્રેરિત કરીશ.”

ડૉ. વિવેકે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે જ્યારે કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની હાલત બહુ સારી નહોતી. ક્રિકેટર ડોકટરર્સ હોસ્પિટલના સ્ટાફ અને પ્રશંસકોને મળી રહ્યા હતા, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તેમની હાલત પહેલા કરતા સારી છે. જ્યારે તેમને શનિવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે તે ખૂબ તાવ, ચક્કર અને ગંભીર ખેંચાણથી પીડાતા હતા. તે બેસવા અને ચાલવામાં અસમર્થ હતા.

દાખલ કરવા સમયે તે સુસ્ત પણ હતા. અમે તમામ ટેસ્ટ કર્યા અને જાણવા મળ્યું કે તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન હતું. સોડિયમ અને પોટેશિયમનું સ્તર ઓછું હતું, જે ખેંચાણનું કારણ બની રહ્યું હતું. તેમનું બીપી પણ ઓછું હતું. અમે તેમને એન્ટિબાયોટિક્સ આપવાનું શરૂ કર્યું છે.”

Shah Jina