રાજાના મહેલ જેવો દેખાય છે સવજીભાઈએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડનો બંગલો, લક્ઝુરિયર્સ તસવીરો જોઈને કહેશો વાહ પટેલ વાહ
માયા નગરી મુંબઈ માટે કહેવાય છે કે અહીંયા “રોટલો મળી જાય પણ ઓટલો ના મળે.” ત્યારે ઘણા લોકોના સપના મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાના હોય છે. ઘણા ઉદ્યોગપતિઓ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યુ પણ છે, ત્યારે આજકાલ સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા મુંબઈમાં તેમના દ્વારા ખરીદવામાં આવેલા 185 કરોડના ભવ્ય અને આલીશાન ઘરને લઈને ચર્ચામાં છે.
સૌરાષ્ટ્રના એક ગામના ખેડૂતમાંથી હીરાના વ્યવસાય સાથે જોડાઈને હીરા-ઉદ્યોગપતિ બનેલા સવિજીભાઈ ધોળકિયા અને તેમના ભાઈ ઘનશ્યામ ધોળકિયાએ માયાનગરી મુંબઈના વરલી વિસ્તારમાં સી ફેન્સીંગ 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.
ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે. જે અંગેની પ્રતિક્રિયા આપતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે “ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.”
ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો.
ઘનશ્યામ ભાઈ છેલ્લા ઘણા સમયથી મુંબઈના વરલી વિસ્તારની અંદર એક સારું ઘર શોધી રહ્યા હતા અને અંતે તેમને આ ઘર પસંદ આવી જતા 185 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ઘનશ્યામભાઈએ ખરીદેલા આ વૈભવી બંગલો 19886 સ્કેવર ફીટમાં ફેલાયેલો છે અને આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે.
આ આલીશાન અને ભવ્ય બંગલાની અંદર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. આ બંગલો એસ્સાર ગ્રુપની કંપની આર્કાઈ હોલ્ડિંગ્સ લિ. પાસેથી ગત 30 જુલાઈએ ખરીદાયો છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું. જેના અનુસાર, 1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે.