Diwali 2022 : ભૂલથી પણ ન રાખો ઘરમાં આ અશુભ વસ્તુઓ, લક્ષ્મી માં થઇ જાય છે નારાજ

દિવાળીનો તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબર 2022ના ​​રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં દિવાળીના તહેવારને લઇને અગાઉથી જ તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. ત્યારે દિવાળી પહેલા લોકો પોતાના ઘરોને સારી રીતે સાફ કરે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘરની સફાઈ કર્યા પછી પણ કેટલીક વસ્તુઓ એવી રહે છે જેના કારણે આપણા જીવન પર ખરાબ અસર પડે છે. ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓની હાજરીને કારણે દેવી લક્ષ્મીનો વાસ થતો નથી અને હંમેશા ધનની અછત રહે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જે ઘરમાં ન રાખવી જોઈએ.

બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે : દિવાલ પર લટકાવવાની ઘડિયાળ હોય કે કાંડામાં પહેરવામાં આવતી, તેનું બંધ થવું અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ઘડિયાળ બંધ થાય ત્યારે નસીબ પણ અટકી જાય છે. જો તમારા ઘરમાં પણ બંધ ઘડિયાળ પડેલી હોય તો દિવાળી પહેલા તેને બહાર ફેંકી દો.

તૂટેલા કાચ : ઘરમાં તિરાડ પડેલા અથવા તૂટેલા કાચ રાખવા અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાચની તૂટેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં બારી, બલ્બ અથવા અરીસાના કાચ તિરાડ પડી ગયેલા હોય અથવા તૂટી ગયા હોય, તો દિવાળીની સફાઈ વખતે તેને બદલી નાખો.

ખંડિત મૂર્તિ : દેવી -દેવતાઓની ખંડિત મૂર્તિઓ ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં તૂટેલી અથવા જૂની મૂર્તિઓ છે, તો આ દિવાળીની સફાઈ સાથે, ઘરના મંદિરમાં ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત કરો અને જૂની મૂર્તિને ક્યાંક વિસર્જન કરો.

તૂટેલા વાસણો ભવિષ્યને બગાડી શકે છે : એવું માનવામાં આવે છે કે કોઈએ ક્યારેય રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ અને ન તો કોઈએ તૂટેલા વાસણમાં ખોરાક પીરસવો જોઈએ. ઘરમાં તૂટેલા વાસણો રાખવા અશુભ માનવામાં આવે છે. આવા વાસણોમાં ખોરાક ખાવાથી ઘરમાં ગરીબી વધે છે. તો દિવાળીની આ સફાઈ દરમિયાન તમારા ઘરમાંથી તૂટેલા વાસણો બહાર કાઢો.

ખરાબ જૂતા ન રાખવા જોઈએ : જો તમે અત્યાર સુધી ઘરમાં ફાટેલા પગરખાં અને ચપ્પલ રાખ્યા હોય, તો દિવાળીની સફાઈ કરતી વખતે તેને બહાર કાઢો. એવું કહેવાય છે કે ફાટેલા પગરખાં અને ચંપલ ઘરમાં નકારાત્મકતા અને કમનસીબી લાવે છે.

Shah Jina