ભારતમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની બિલકુલ પણ કમી નથી. જેમાના દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી, તેમના પરિવાર, રહેણી-કરણી, તથા તેમના જીવન સાથે જોડાયેલા અમુક તથ્યો વિશેની જાણ તો તમને બધાને છે જ. સાથે જ બધા એ પણ જાણે જ છે કે મુકેશ અંબાણી એક સામાન્ય એવા પરિવારમાં જન્મયા હતા, પણ પોતાના દ્રઢ મનોબળ અને મહેનતે આજે તે એવા સફળતાના શિખરે જઈ પહોચ્યા છે કે દેશના ધનવાન વ્યક્તિઓમાં સૌથી પ્રથમ નામ મુકેશ અંબાણીએ હાંસિલ કર્યું છે. પણ ઉદ્યોગની વાત કરીએ તો તેમાં રતન ટાટા પણ કઈ કમ નથી. ભલે તે પ્રથમ નંબર પર નથી પણ દેશના ધનિક વ્યક્તિઓમાં નામના જરૂર ધરાવે છે.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતના જાણીતા અને વિખ્યાત એવા શહેર સુરતમાં થયો હતો. રતન ટાટાએ પણ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને ઘણી નડતર પરિસ્થિતિઓને હટાવીને જાતે જ સફળતાનો માર્ગ શોધી કાઢ્યો છે. કહેવાય છે ને કે, સફળતાનો રસ્તો આપમેળે નથી મળતો, તેને શોધવા માટે દિવસ-રાત એક કરવા પડે છે. રતન ટાટાના જીવનમાં પણ કઈક આવી જ સમસ્યાઓ આવી હતી. ચાલો આજે તેના જીવન સાથે સંકળાયેલા સુખ-દુઃખ, સમસ્યાઓ, સફળતા વગેરે પર એક નજર કરીએ.

શરૂઆતી જીવન:
જણાવી દઈએ કે રતન ટાટાનાં નામથી જાણીતા આ વ્યક્તિ જેનો ટાટા પરિવાર સાથે લોહીનો સંબંધ નથી. એટલે કે રતન ટાટા જે નવલ ટાટાનાં પુત્ર છે, જેમેને તેમના પિતા જમશેદજી ટાટા જે ટાટા સમૂહના સંસ્થાપક છે, તેમના દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. રતન ટાટાનું જીવન પહેલાથી જ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. રતન ટાટાનાં માતા-પિતા વર્ષ 1948માં અલગ થઇ ગયા હતા તે સમયે રતન માત્ર 10 વર્ષના જ હતા. બાદમાં તેમના દાદા-દાદી એટલે કે જમશેદજી ભાઈ અને નવાજબાઈએ તેમનું ભરણ પોષણ કર્યું હતું. રતને પોતાનો અભ્યાસ મુંબઈના ‘કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલ’ અને માધ્યમિક અભ્યાસ શિમલાની ‘બીશપ કોટન સ્કુલ’માંથી કર્યો હતો. તેના બાદ તેમણે પોતાનું B.SC આર્કીટેક્ચરમાં સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની સાથે ‘કોર્નલ વિશ્વ વિદ્યાલય, ન્યુયોર્ક’ થી 1962માં પૂરું કર્યું હતું. પછી હાવર્ડ બિઝનેસ સ્કુલથી વર્ષ 1975માં મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

કારકિર્દી:
ટાટા ગ્રુપની સાથે પોતાના કારકિર્દીની શરૂઆત 1961માં રતન ટાટા એ એક સામાન્ય કર્મચારીની પદ પર કરી હતી,એ પછી તે ધીરે-ધીરે ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ સાથે જોડાતા ગયા. વર્ષ 1971માં તેમને રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની (નેલ્કો) માં પ્રભારી નિદેશક માટે પસંદ કરવામાં આવ્યા હતા. એ પછી તેઓને 1981માં ટાટા ઇન્ડસ્ટ્રીજનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બાદ વર્ષ 1991માં JRD ટાટાએ ટાટા ગ્રુપનાં અધ્યક્ષનું પદ છોડીને રતન ટાટાને પોતાનો ઉતરાધિકારી પસંદ કરવામાં આવ્યા હતા.
28 ડિસેમ્બર 2012નાં રોજ રતન, ટાટા સમૂહની દરેક કામની જવાબદારીઓ પરથી નિવૃત થઇ ગયા. રતન ટાટાએ પોતાના 21 વર્ષના રાજમાં કંપનીને એક નવા જ મુકામ પર પહોંચાડી છે. પોતાના કાર્યકાલમાં તેમણે કંપનીની વેલ્યુ 50 ગણી વધારી દીધી છે.

તેમના જીદ્દી નિર્ણયને લીધે ટાટા મોટર્સની દશા બદલાઈ:
વાત વર્ષ 1999ની છે જયારે રતન ટાટા, ટાટા ગ્રુપના અધ્યક્ષ હતા અને ટાટા ઈન્ડીકાને લોન્ચ થવાનો એક વર્ષ થઇ ચુક્યું હતું, તે સમયે રતન ટાટા ફોર્ડના હેડક્વાટર ડેટ્રોયટ ગયા હતા. આ મુલાકાતમાં રતન ટાટા પોતાના તરફથી ટાટા મોટર્સની એક ડીલ લઈને પહોંચ્યા હતા. આ મુલાકાતમાં બીલ ફોર્ડએ રતન ટાટાની ખુબ બેઈજ્જતી કરી હતી. તે દિવસે તેમણે કહ્યું હતું કે, ‘અમે તારા પર ખુબ મોટો અહેસાન કરી રહ્યા છીએ, તમારી આ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ખરીદીને, જ્યારે ગાડી બનાવતા નથી આવડતી તો ધંધામાં કેમ આવ્યા છો.’ આ વાત રતન ટાટાને ખુબ ખટકી અને રાતોરાત તેઓ આખી ટીમને લઈને મુંબઈ પરત આવી ગયા.

આ પછી રતન ટાટા ટાટા મોટર્સ પર અલગથી સમય વિતાવવા લાગ્યા. અમુક જ દિવસો બાદ ટાટા મોટર્સની હાલત સુધરવા લાગી. આ પછી 10 વર્ષ પછી વર્ષ 2009માં બીલ ફોર્ડની કંપની નુકશાનમાં આવી ગઈ. ત્યારે ટાટા ગ્રુપે તેમની કંપની ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. ફોર્ડની ટીમ મુંબઈ આવી અને કહ્યું કે, ‘અમારી ‘જૈગુંઆર’ અને ‘લૈંડ રોવર’ ખરીદીને તમે અમારા પર બહુ મોટું અહેસાન કરી રહ્યા છો’. રતન ટાટાએ 9600 કરોડ રૂપિયામાં તેમની બંને કંપનીઓ ખરીદી લીધી હતી.
રતન ટાટાને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી?
જવાબમાં રતન ટાટાએ કહ્યું કે, તે એક વ્યાપારી છે અને હું ઉદ્યોગપતી. તેના આ જવાબમાં ઘણી વાત છુપાયેલી છે. તેમણે જણાવ્યું કે મુકેશ અંબાણીનો આ બિઝનેસ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવેલો બિઝનેસ છે જ્યારે ટાટા એક ટ્રસ્ટ છે અને તેના પર કોઈ વ્યક્તિનો હક નથી હોતો. કંપનીના નફાનો 66 ટકા ભાગ ટાટા ગ્રુપને જાય છે.

જણાવી દઈએ કે રતન ટાટાને 2000માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સત્કારવામાં આવ્યા હતા. જે ભારતનું બીજા અને ત્રીજા નંબરનું ઉચ્ચ સન્માન છે.