મહાકુંભમાં ભક્તો માટે તૈયાર થઇ રહ્યુ હતુ ભોજન, પોલિસ અધિકારીએ નાખી રાખ- હવે તંત્રએ લીધુ આ એક્શન

શ્રદ્ધાળુઓના ભોજનમાં રાખ નાખનાર ઇંસ્પેક્ટર પર લેવાઈ ગયું મોટું એક્શન, વીડિયો જોઈને મગજ છટકી જશે, જુઓ

મહાકુંભ મેળા દરમિયાન ભક્તો માટે આયોજિત ભંડારામાં પીરસવામાં આવતા ભોજનમાં એક પોલીસ અધિકારીએ રાખ ભેળવી દીધી હોવાની ઘટના સામે આવી છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બાબતે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવી હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, ડીસીપી (ગંગા નગર) કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ, સોરાંવના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) બ્રજેશ કુમાર તિવારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ અધિકારી ચૂલા પર શ્રદ્ધાળુઓ માટે તૈયાર થઈ રહેલા ભોજનમાં રાખ ભેળવતા જોઈ શકાય છે.

એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર DCP ગંગા નગરના એકાઉન્ટને ટેગ કરીને આ વીડિયો શેર કર્યો અને આ મામલે અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. આના જવાબમાં, DCP ગંગા નગરના સત્તાવાર એકાઉન્ટે જવાબ આપ્યો કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધ લેતા, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગંગા નગર) એસીપી સોરાંવના રિપોર્ટના આધારે સોરાંવના એસએચઓને સસ્પેન્ડ કર્યા છે. વિભાગીય કાર્યવાહી ચાલુ છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે મહાકુંભમાં ફસાયેલા લોકોને ખોરાક અને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરનારાઓના પ્રયાસોને રાજકીય દ્વેષભાવના કારણે નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. લોકોએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. પ્રયાગરાજમાં મહાકુંભમાં, ઘણા લોકો, જૂથો અને સંગઠનોએ ભક્તોને મફત અથવા સસ્તું ભોજન પૂરું પાડવા માટે રસોડા સ્થાપ્યા છે.

Previous Article

મહાકુંભ નાસભાગમાં મૃત્યુ પામનાર વિસનગરના મહેશભાઇના સિદ્ધપુરમાં થયા અંતિમસંસ્કાર- પરિવાર સહિત આખુ ગામ હીબકે ચડ્યું

Next Article

અમેરિકા : હવામાં થયેલ ભિષણ પ્લેન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત; ખોફનાક નજારો

error: Unable To Copy Protected Content!