ડિલીવરી બાદ નુસરત જહાંએ આપ્યો ટ્રોલર્સને જડબાતોડ જવાબ, શેર કરી પોસ્ટ

હિન્દૂ પતિથી અલગ થઇને પણ સિંગલ મોમ નથી નુસરત જહાં, નવી પોસ્ટમાં દીકરીના બાપ વિશે જણાયું- જુઓ

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ 26 ઓગસ્ટ ગુરુવારના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. માતા બન્યા બાદ તેમને સોમવારના રોજ હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યુ હતુ. હોસ્પિટલથી બહાર આવતા સમયનો નુસરતનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જેમાં નુસરતનો દીકરો તેના ખોળામાં નહિ પરંતુ કથિત બોયફ્રેન્ડ યશ દાસગુપ્તાના ખોળામાં જોવા મળી રહ્યો હતો.

હોસ્પિટલથી નીકળતા સમયે નુસરતના દીકરાને યશ દાસગુપ્તાના ખોળામાં જોયા બાદથી સોશિયલ મીડિયા પર નુસરતને ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે નુસરતે ટ્રોલર્સને જવાબ આપતા એક શાનદાર પોસ્ટ કેપ્શન સાથે શેર કરી છે. આ પોસ્ટમાં તેણે તેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, તે લોકોથી આલોચના સ્વીકારો નહિ જેનાથી તમે સલાહ નથી લેતા. આ સાથે જ તેણે ન્યુરોલ, ન્યુલુક જેવા હૈશટેગનો ઉપયોગ કર્યો છે. તસવીર ક્રેડિટ તેણે ડેડીને આપી છે.

આ પોસ્ટ શેર કર્યા બાદ પણ ટ્રોલર્સ નુસરતને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેને દીકરાના પિતા વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, બેબીના ડેડીનું નામ જણાવો, તો કેટલાક લોકોએ તો તેના કથિત બોયફ્રેન્ડ યશ દાસગુપ્તાનું નામ લીધુ. નુસરત જહાંએ તેના દીકરાનું નામ ઇશાન રાખ્યુ છે જેને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવશે.

નુસરત જહાંની પ્રેગ્નેંસીની ખબરો જૂન મહિનામાં સામે આવી હતી. જયારે તેમનો બેબીબંપ લોકો સામે આવ્યો. તે બાદ સતત નુસરત જહાં અને નિખિલ જૈનના સંબંધને લઇને સવાલ ઉઠવા લાગ્યા હતા. આ પર નિખિલે પ્રેગ્નેંસીની વાત વિશે કંઇ જ ના ખબર હોવાની વાત કહી હતી. સાથે જ એ પણ કહ્યુ કે, તે બંને અલગ અલગ ઘરોમાં રહે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, આ તેમનું બાળક નથી. આ બાદ જ નુસરતના અભિનેતા યશ ગુપ્તા સાથેના સંબંધની વાત સામે આવી હતી.

નુસરત અને યશને લઇને એવી અફવાઓ ઘણી ફેલાઇ હતી. નુસરત એસઓએસ કોલકાતાના પોતાના કો-એક્ટર યશ દાસ ગુપ્તા સાથે નજીકતા વધવાની પણ ખબરો આવી હતી. તે સમયે બંને સાથે રાજસ્થાનમાં ટ્રિપ પર પણ ગયા હતા. યશ દાસ ગુપ્તાનું નામ બંગાળી સિનેમાનું ચર્ચિત નામ છે. યશ અત્યાર સુધી હિંદી શો બસેરા, બંદિની, ના આના ઇસ દેશ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવમાં અભિનય કરી ચૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, નુસરત તરફથી તેના અને યશ દાસ ગુપ્તાના સંબંધને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી. આ પૂરો મામલો સામે આવ્યા બાદ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથેના બગડેલા સંબંધો પર નિવેદન આપ્યુ હતુ. તેમની વાતોએ લોકોને હેરાન કરી દીધા હતા. નુસરતે તેના લગ્નને પૂરી રીતે ગેરકાનૂની અને અવૈદ્ય ગણાવ્યા હતા. નુસરતે એક નિવેદન જારી કર્યુ હતુ, જેમાં પતિ નિખિલ જૈનથી અલગ હોવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ 19 જૂન 2019ના રોજ નિખિલ જૈન સાથે તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કોલકાતાના આઇટીસી રોયલ હોટલમાં કર્યુ હતુ. જયાં રાજનીતિ અને ફિલ્મ જગતની કેટલીક મોટી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

Shah Jina