શાહરૂખ ખાનની આ એક્ટ્રેસ 3 બાળકોના પિતાને આપી બેઠી હતી દિલ, ડાયરેક્ટરની પત્નીએ કહી દીધુ હતુ- લાત મારીશ…

3 બાળકોના પિતા પર જ્યારે ફિદા થઇ લેડી સુપરસ્ટાર તો પત્નીએ ખુલ્લેઆમ આપી દીધી ધમકી, બોલી- જો મને તે દેખાઇ તો…

ગત વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાને ‘પઠાણ’થી સ્ક્રીન પર કમબેક કર્યું હતું. આ પછી સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘જવાન’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. શાહરૂખ ખાનની આ ફિલ્મમાં નયનતારા, સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણ જોવા મળી હતી. આ ફિલ્મમાં પોતાની અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેત્રીને સાઉથની લેડી સુપરસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે બોલિવુડમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘લેડી સુપરસ્ટાર’નો ટેગ મળ્યો હતો. જ્યારે તમિલ ફિલ્મોમાં નયનતારા આ નામથી જ ઓળખાય છે.

મલયાલમ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી એક સમયે પોતાની અંગત જિંદગીને કારણે ખૂબ ચર્ચામાં રહી છે. જો તમે સાઉથ ફિલ્મોના શોખીન છો અને સાઉથની સેલિબ્રિટીઓને ફોલો કરો છો, તો તમે નયનતારા અને પ્રભુદેવાના અફેરના સમાચાર ક્યાંકને ક્યાંક વાંચ્યા કે સાંભળ્યા જ હશે. આ એક્સ કપલના સંબંધોની શરૂઆત ફિલ્મના સેટ પર થઇ હતી.

વર્ષ 2009માં ફિલ્મ ‘વિલ્લુ’ રીલિઝ થઈ હતી જેનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું હતું અને આ ફિલ્મમાં નયનતારાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે તેમના ડેટિંગના સમાચારો જોર પકડતા હતા, ત્યારે મોટાભાગના લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માનતા હતા. વાસ્તવમાં, પ્રભુદેવાની છબી એવી હતી કે લોકો એ માનવા તૈયાર નહોતા કે પરિણીત હોવા છતાં આ ડાયરેક્ટરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોઈ શકે.

આ અફેરની ચર્ચાઓએ વેગ પકડ્યો ત્યારે નયનતારા અને પ્રભુદેવાના ચાહકોને મોટો આંચકો લાગ્યો. એક રીપોર્ટ મુજબ, પરિણીત હોવા છતાં અને 3 બાળકોના પિતા હોવા છતાં પ્રભુદેવાએ પોતે સ્વીકાર્યું હતું કે તે અભિનેત્રીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. નયનતારા સાથે સંબંધનો સ્વીકાર કર્યા બાદ પ્રભુદેવાએ તેની પૂર્વ પત્ની રામલતાને છૂટાછેડા આપી દીધા હતા, પરંતુ પતિ દ્વારા છેતરપિંડી થયા બાદ પણ રામલતા છૂટાછેડા માટે તૈયાર ન હતી.

જો કે, બંનેના છૂટાછેડા થઈ ગયા અને કોર્ટે બાળકોનો કબજો માતાને સોંપ્યો. રામલતાને બાળકોની કસ્ટડી મળી ગયા પછી પણ પ્રભુદેવ બાળકોને મળવા આવતા હતા, પરંતુ તેમની પૂર્વ પત્ની સાથેના સંબંધોમાં કડવાશ ઘણીવાર જાહેરમાં જોવા મળતી હતી. પ્રભુદેવા અને નયનતારા વિશે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે જો અભિનેત્રી ક્યારેય તેની સામે આવશે તો તે લાત મારી દેશે.

પહેલી પત્નીથી અલગ થયા બાદ પ્રભુદેવા અને નયનતારા લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ તેમના સંબંધો લગ્નના સ્તરે પહોંચ્યા નહિ. વાસ્તવમાં, અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેને નિર્દેશક પર વિશ્વાસ નથી, જેના કારણે બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા.

Shah Jina