જ્યારે મલાઇકાને ટ્રોલ થવા પર પરેશાન થયા હતા પિતા, એક્ટ્રેસે કરી મુશ્કેલ દિવસો પર વાત

એક્ટ્રેસ-મોડલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ તાજેતરમાં જ આત્મહત્યા કરી જીવનનો અંત આણી દીધો. પ્રાપ્ત માહિતી અનુસાર મલાઈકાના પિતાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસને આ ઘટનાની જાણકારી મળતા જ તેઓ મલાઈકાના ઘરે પહોંચી ગયા અને મામલાની માહિતી એકઠી કરી રહ્યા છે. અનિલ અરોરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભેલો જોવા મળ્યો હતો.

જણાવી દઇએ કે, મલાઈકા અરોરાએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતા અને પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. તે સમયે તેની નાની બહેન અમૃતા માત્ર 6 વર્ષની જ હતી. મલાઈકાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ હતા, જ્યારે માતા જોયસી પોલી કોર્પ મલયાલી કેથોલિક. પોતાના બાળપણ અને માતા-પિતાના અલગ થવા અંગે મલાઈકાએ ફિલ્મફેરને કહ્યું હતું કે, ‘મારું બાળપણ ખૂબ જ સારું હતું, પરંતુ તે સરળ નહોતું.

હકીકતમાં, આજે હું તેને ખૂબ જ ઉતાર-ચઢાવ કહી શકું છું. પરંતુ મુશ્કેલ સમય તમને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. મલાઈકાએ કહ્યું કે તેના માતા-પિતાનું અલગ થવું એક ઘટના હતી જેણે તેના અને તેની બહેન અમૃતા અરોરા પર ભારે અસર કરી. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેને આત્મનિર્ભર બનવાનું શીખવવા માટે અને મજબૂત કાર્યની નીતિ રાખવાનો તમામ શ્રેય તે તેની માતાને આપે છે. મલાઈકાએ કહ્યું હતું કે, ‘મારા માતા-પિતાના અલગ થવાને કારણે હું મારા માનને એક નવા અને અલગ લેન્સથી જોઈ શકી.

હું એક મજબૂત વર્ક-એથિક શીખી છું અને દરરોજ સવારે ઉઠી મારી આઝાદી માટે કંઈપણ કરવાનું મૂલ્ય સમજું છું. શરૂઆતમાં મેળવેલ આ જ્ઞાન જ મારા જીવન અને વ્યાવસાયિક પ્રવાસનો આધાર બન્યો. હું હજી પણ ખૂબ સ્વતંત્ર છું – હું મારી સ્વતંત્રતાની ખૂબ જ કદર કરું છું અને મારી પોતાની શરતો પર જીવન જીવું છું. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર જેટલી લોકપ્રિય છે તેટલું જ તેને ટ્રોલર્સનો પણ સામનો કરવો પડે છે. ક્યારેક મલાઈકા તેની ફેશનને લઈને તો ક્યારેક તેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.

એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ કહ્યું હતું કે આ ટ્રોલિંગની તેના પેરેન્ટ્સ પર ઘણી અસર થઈ છે. પિંકવિલા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ‘મારા માતા-પિતા કહેતા હતા – ‘દીકરા, કોઈએ આવું કહ્યું, કોઈએ તેવું કહ્યું.’ અને અંતે મારે તેમને બેસાડીને કહેવું પડ્યું કે ‘બહુ થઇ ગયુ! આ કચરો વાંચવાનું બંધ કરી દો. આ સંપૂર્ણ બકવાસ છે. મહેરબાની કરીને આમાં તમારી એનર્જી વેસ્ટ ન કરશો. છેવટે, તેઓ માતાપિતા છે અને જ્યારે તેઓ કંઈક સાંભળે છે ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે. પરંતુ એકવાર મેં તેમને બેસાડી અને સમજાવ્યું, બધું ઉકેલાઈ ગયું. આવી ઘટના ફરી ક્યારેય બની નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!