રાજસ્થાન સામેની હાર બાદ ગુસ્સે ભરાયો હાર્દિક પંડ્યા… રોહિતથી લઈને સૂર્ય કુમાર સુધીના ખેલાડીઓને લગાવી લતાડ… જુઓ શું કહ્યું

“હવે ભૂલો કરવા માટે કોઈ સ્થાન નથી..!” IPLમાં 5મી હાર બાદ ટીમના ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો કપ્તાન હાર્દિક પંડ્યા… જુઓ શું કહ્યું ?

Hardik Pandya got angry on players : આઇપીએલ 2024ના પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટીમ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.  ત્યારે 5 વારની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સની હાલત આ આઇપીએલમાં ખુબ જ ખરાબ ચાલી રહી છે. મુંબઈ પોતાની 8 મેચમાંથી 5 મેચ હારી ગયું છે. ત્યારે ગતરોજ રાજસ્થાન સામે પણ મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સ આ મેચને 9 વિકેટથી જીતી ગયું. આ મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો.

બોલિંગમાં સંદીપ શર્માએ 5 વિકેટ અને યશસ્વી જયસ્વાલે બેટિંગમાં મેચ વિનિંગ સદી ફટકારી હતી. આઈપીએલની આ સિઝનમાં 8 મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી હાર છે અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ગુમાવવી હતી.  હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે અમે અમારી ઇનિંગની શરૂઆતમાં જ મુશ્કેલીમાં આવી ગયા હતા, જ્યારે અમે 20ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમે વિચાર્યું ન હતું કે અમે 180 રન સુધી પણ પહોંચી શકીશું પરંતુ તિલક અને નેહલે ખૂબ જ સારી બેટિંગ કરી હતી.

અમે અમારી ઇનિંગ્સને અપેક્ષા મુજબ સમાપ્ત કરી શક્યા નહીં જેમાં અમે 10 થી 15 રન ઓછા બનાવ્યા. બોલિંગ પાવરપ્લેમાં અમારે બોલને વિકેટની અંદર ફેંકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ અમે તેમ કરતા જોવા મળ્યા ન હતા. રાજસ્થાને આ મેચમાં રમતના દરેક વિભાગમાં અમને સંપૂર્ણપણે હરાવ્યાં. મેચ પૂરી થયા પછી, ખેલાડીઓનો સંપર્ક કરવાનો આ યોગ્ય સમય નથી અને મને લાગે છે કે દરેક જણ પ્રોફેશનલ છે અને દરેક પોતાની ભૂમિકા સારી રીતે જાણે છે.

પોતાના નિવેદનમાં હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે આ મેચમાં અમે જે ભૂલો કરી છે તેને સુધારવાની જરૂર છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી પડશે. આગળ વધવું જરૂરી છે અને આપણે આપણી ખામીઓને સ્વીકારીને તેના પર કામ કરવું પડશે. હું ખેલાડીઓની વધુ પડતી ટીકા કરવામાં માનતો નથી, હું તેમને સંપૂર્ણ સમર્થન આપું છું જેથી વધુ સારું ક્રિકેટ રમી શકાય. આપણે આપણી યોજનાને વળગી રહેવું પડશે અને મૂળભૂત ભૂલો કરવાનું ટાળવું પડશે.

Niraj Patel