રિલીઝ પહેલા જ આલિયા ભટ્ટની ફિલ્મ “ગંગુબાઇ કાઠિયાવાડી” પર વિવાદ, પરિવારે ખટકાવ્યો કોર્ટનો દરવાજો- જાણો

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર બહાર આવ્યું ત્યારથી જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ગંગુબાઈનો પરિવાર આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે ગંગુબાઈ સમાજ માટે કામ કરતી હતી પરંતુ તેને ફિલ્મમાં વર્કર તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. દર્શકો આલિયાના પાત્રના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન પણ છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

વર્ષ 2021માં ગંગુબાઈના દત્તક પુત્ર બાબુ રાવજી શાહ ફિલ્મ વિરુદ્ધ મુંબઈની એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. ગંગુબાઈના પુત્ર બાબુ રાવજી શાહે આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “મારી માતાને વેશ્યા બનાવી દેવામાં આવી છે. હવે લોકો કોઈ કારણ વગર મારી માતા વિશે વાત કરે છે. ગંગુબાઈની દોહિત્રી ભારતી કહે છે કે મેકર્સ પૈસા માટે તેના પરિવારને બદનામ કરી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે ફિલ્મમાં ગંગુબાઈને પ્રોસ્ટિટ્યૂટ તરીકે દર્શાવાયા છે જ્યારે હકીકતમાં તેઓ સામાજિક કાર્યકર હતાં.

તેણે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ માટે પરિવારની સંમતિ લેવામાં આવી નથી. આટલું જ નહીં, ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પુસ્તક લખવા માટે પણ પરવાનગી લેવામાં આવી ન હતી. એક સામાજિક કાર્યકરને વેશ્યા તરીકે દર્શાવવામાં આવી છે. કયા કુટુંબને આ ગમશે ? તમે તેને વેમ્પ અને લેડી ડોન બનાવી દીધી છે.” જ્યારે પરિવારને ખબર પડી કે ગંગુબાઈના જીવન પર ફિલ્મ બની છે, ત્યારે તેઓ લોકોથી છુપાઈ ગયા છે. તેઓ પોતાનું ઘર બદલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gangubai 🤍🙏 (@aliaabhatt)

ફિલ્મમાં ગંગુબાઈને જે રીતે દર્શાવવામાં આવી છે તે પછી ઘણા સંબંધીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગંગુબાઈ ખરેખર વેશ્યા હતી ? શું તે સામાજિક કાર્યકર ન હતી ?” તેણે વધુમાં ઉમેર્યુ કે, “અમે સંજય લીલા ભણસાલી અને ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના લેખક હુસૈન ઝૈદીને નોટિસ મોકલી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.”

Shah Jina