શું નાની-નાની વાત પર તમને પણ આવી જાય છે ગુસ્સો ? અને થઇ જાવ છો બેકાબૂ…તો દિલ-દિમાગ પર બની શકે છે આ ખતરો- આવી રીતે કરો પોતાના પર કંટ્રોલ

શું તમે નાની મોટી વાતમાં ગુસ્સે થઈને બેકાબૂ થઇ જાઓ છો? તો ચેતી જજો, હાર્ટ સાથે આવું આવું થઇ શકે છે- જાણો

બદલાતી જીવનશૈલી, તણાવ અને દરેક પરિસ્થિતિમાં આગળ વધવાની દોડ… વ્યક્તિ ઘણીવાર પોતાનો સ્વભાવ ગુમાવી બેસે છે અને તેની અંદર રહેલી ચિંતા અને તણાવ ગુસ્સાના રૂપમાં બહાર આવે છે. માણસો માટે આ એકદમ સામાન્ય વર્તન છે જે તેમની અંદરનો બોજ હળવો કરવામાં મદદ કરે છે. પરંતુ લાંબા સમય સુધી ગુસ્સામાં કોઇ વ્યક્તિ લાલ થતી હોય તો તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે.

Image Source

સંશોધન અનુસાર, જો તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી, તો તેના કારણે તમે હૃદય રોગ, જીવલેણ બુલિમિયા રોગ, ડાયાબિટીસ વગેરેનો શિકાર બની શકો છો. આટલું જ નહીં, આના કારણે કાર એક્સિડન્ટ અને રિલેશનશિપ પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. એટલે એ જરૂરી છે કે તમે સમયસર તમારા ગુસ્સાને કંટ્રોલ કરવાનું શીખો અને પોતાની જાતને કાબૂમાં રાખવા માટે વિવિધ ટેકનિકની મદદ લો.

Image Source

ગુસ્સાને કાબૂમાં રાખતા પહેલા એ જાણવું જરૂરી છે કે વ્યક્તિને ગુસ્સો શા માટે આવે છે અથવા કયા સંજોગોમાં તે કાબૂ બહાર જઈ શકે છે. ગુસ્સો આવવાનું કોઈ એક કારણ નથી. ઘણીવાર શરીરની આંતરિક સમસ્યાઓ જેમ કે માનસિક સમસ્યાઓ, હતાશા, ચિંતા, દારૂનું વ્યસન પણ આનું કારણ બની શકે છે. જ્યારે કેટલીકવાર આ નાણાકીય સમસ્યાઓ સંબંધોમાં સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે.

Image Source

આવી સ્થિતિમાં ગુસ્સાને હળવાશથી ન લો અને સ્વ-સંભાળ પર ધ્યાન આપો. પરિવાર અને મિત્રોને સમસ્યાઓ વિશે જણાવો અને ગુસ્સાને કાબૂમાં રાખવા માટે તેમની મદદ લો. જો જરૂરી હોય તો સાયકોલોજિસ્ટની પણ મદદ લેવી જોઈએ. અહી અમે તમને ગુસ્સાને કાબૂમાં રાખવાના કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ. ધ્યાનમાં રાખવાની પ્રથમ વસ્તુ એ છે કે કોઈ પણ બોલતા અથવા કંઇ કરતા પહેલા એકવાર વિચારો. તમારા ખરાબ કાર્યોને કારણે શું નુકસાન થઈ શકે છે તે વિશે વિચારો.

આ પછી ઊંડો શ્વાસ લો. જો તમને કોઈ વાત પર ગુસ્સો આવે છે, તો ગુસ્સે થવા કે બૂમો પાડવાને બદલે તમારી લાગણીઓને વધુ સારી અને શાંત રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરો. તમે તેમને સીધા જ કહો કે તમે કેટલા હતાશ થઈ રહ્યા છો. આ રીતે તમારી વાતનું મૂલ્ય વધુ રહેશે. અન્ય કોઈને દોષ આપવાનું કે દોષારોપણ કરવાનું ટાળો. જો તમે તમારી પોતાની લાગણીઓને કેન્દ્રમાં રાખો અને તમારી સમસ્યાઓ વિશે જણાવો તો સારું રહેશે. ઉદાહરણ તરીકે, ક્યારેય એવું ન કહો કે તમે સારું કામ નથી કરતા, તમે કહી શકો છો કે મને ખરાબ લાગ્યું કે આ કામ હજી થયું નથી.

Shah Jina