જો તમે પણ કરાવી રહ્યા છો સીટીસ્કેન, તો ચેતી જજો, ડોક્ટર ગુલેેરિયાએ જણાવી તેની અસર

સમગ્ર દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે લોકો ચિંતામાં છે. આનાથી ડરીને લોકો અનેક ઉપાય કરી રહ્યા છે, જે ઘાતક પણ સાબિત થઇ શકે છે. એમ્સ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, દર્દી વારંવાર સીટી સ્કેન કરાવી રહ્યા છે તો તે એક મોટો ખતરો પણ સાબિત થઇ શકે છે.

ડો. ગુલેરિયાએ કહ્યુ કે રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરવા પર જાણવા મળે છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સિવાય ગુલેરિયાએ એક અન્ય ખાસ વાત જણાવી. તેમણે કહ્યું કે, જો તમે પોઝિટિવ છો અને તમારામાં હળવા લક્ષણ છે તો તમારે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. કારણ કે સીટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ફોલ્લીઓ આવી જાય છે, જેને જોઈને દર્દી પરેશાન થઈ જાય છે.

ડો. ગુલેરિયા પ્રમાણે જો તમે કોરોના પોઝિટિવ છે પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થઈ રહી નથી, તમારું ઓક્સિજન લેવલ બરાબર છે અને વધુ તાવ નથી તો ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ન પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવી જોઈએ. આ દવાઓ ઉંધી અસર કરે છે અને દર્દીનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. એમ્સ ડાયરેક્ટરે કહ્યું કે, લોકો વારંવાર લોહીની તપાસ કરે છે જ્યાં સુધી ડોક્ટર ન કહે તો તમે બધુ ન કરો. તેનાથી તમારી ચિંતા વધે છે.

એમ્સ નિર્દેશકે કહ્યુ કે, હોમ આઇશોલેશનમાં રહી રહેલા લોકો ડોક્ટરના હંમેશા સંપર્કમાં રહો. સેચુરેશન 93 કે તેનાથી ઓછુ થઇ રહ્યુ છે, બેહોશી જેવા હાલાત છે, છાતીમાં દુખાવોો થઇ રહ્યો છે તો એકદમ ડોક્ટરનો સંપર્ક કરો.

તેમણે કહ્યુ કે, લોકો આજકાલ વધુ સીટી સ્કેન કરાવી રહ્યાં છે. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી, તેને કરાવી તમે વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો કારણ કે તમે ખુદ રેડિએશનને સંપર્કમાં લાવી રહ્યાં છે. ત્યારબાદ કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

Shah Jina