ચાલુ ટ્રેનમાં સિગરેટ પી રહ્યો હતો વ્યક્તિ, સહ-યાત્રીઓ સાથે કરી બદસલૂકી ! જાણો પછી શું થયુ એક્શન
જ્યારે મુસાફરો દ્વારા ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ભારતીય રેલવે સમસ્યાના ઉકેલ માટે હંમેશા તૈયાર રહે છે. એવા ઘણા ઉદાહરણ છે જ્યારે ભારતીય રેલ્વે દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત થઈ છે. જ્યારે કેટલીક ફરિયાદો ટ્રેનમાં આપવામાં આવતા ભોજન અને સેવાઓની ગુણવત્તાના સંબંધમાં હોય છે, તો કેટલાક એવા ઉદાહરણ પણ છે જેમાં લોકો IRCTCનો સંપર્ક કરે છે કારણ કે મુસાફરો દ્વારા કાયદાનો ભંગ કરવા અથવા તો બેફામ વર્તન કરવા પર તેમને સૂચિત કરવામાં આવી શકે.
ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે છોકરાઓ ચાલુ ટ્રેનમાં તેમની સીટ પર સિગારેટ પીતા જોવા મળે છે. આ વીડિયો મનીષ જૈન નામના વ્યક્તિ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેમણે IRCTC અને રેલવે મંત્રાલયના અધિકૃત એકાઉન્ટને ટૅગ કરીને ઝડપી પગલાં લેવાની વિનંતી કરી હતી. ટ્વીટમાં પેસેન્જરે એમ પણ જણાવ્યું કે સિગારેટ પીતા વ્યક્તિએ વરિષ્ઠ નાગરિકો અને બાળકોની સામે ધૂમ્રપાન ન કરવા માટે કહેનાર લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
ફરિયાદીએ લખ્યું હતું કે, “ટ્રેન નંબર 14322 કોચ એસ-5 સીટ નંબર 39-40મા મુસાફરો બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સામે સિગારેટ પી રહ્યા હતા અને દુર્વ્યવહાર પણ કર્યો હતો. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે પગલાં લો. તેના ટ્વિટર હેન્ડલ @RailwaySeva દ્વારા જવાબ આપતી વખતે ભારતીય રેલ્વેએ કહ્યું, “સર, અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને અમને મુસાફરીની વિગતો (PNR/UTS નંબર) અને મોબાઇલ નંબર DM કરો.” તમે તમારી ફરિયાદ સીધી http://railmadad.indianrailways.gov.in પર પણ નોંધાવી શકો છો અથવા ઝડપી નિવારણ માટે 139 ડાયલ કરીને RPF ઇન્ડિયાને કૉલ કરી શકો છો.
@IRCTCofficial @RailMinIndia Passengers Lighting Cigarettes in front of Kids & Senior Citizen and abusing when all are stopping them., Train No 14322 Coach S-5 Seat Number’s 39-40.
Please take action as soon as possible pic.twitter.com/kxQJUDc72T— Manish Jain (@jainmanish0906) February 5, 2023
ફરિયાદના ટ્વીટ બાદ થોડી જ વારમાં આરપીએફના જવાનો રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે, ધૂમ્રપાન કરતા યુવકો અને અન્ય મુસાફરોને કથિત રીતે ટ્રેનમાં ધૂમ્રપાન ન કરવાની સૂચના આપ્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતા. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે આરોપીઓ પર આકરા પ્રહારો કર્યા જ્યારે કેટલાક લોકોએ ઝડપી પ્રતિસાદ માટે રેલવેની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘ઘણા લોકોની જાન અને સાર્વજનિક સંપત્તિને જોખમમાં મુકવા બદલ આ મુસાફરોની ધરપકડ થવી જોઈએ.’ બીજાએ લખ્યું, ‘ડિજિટલ ઈન્ડિયાની શક્તિ, ભારતીય રેલવેનો આભાર.’