ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો આપેલો: પત્નીને અન્ય વ્યક્તિ સાથે હશે અનૈતિક સંબંધો તો પણ ભરણ પોષણ…જાણો

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: જો પત્નીનું બીજા મર્દ સાથે લફડું ચાલતું હોય અને આડા સંબંધ હોય તો…જાણો વિગત

પત્ની અને પતિ વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશવાના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણીવાર આવા અનૈતિક સંબંધોના કારણે પતિ પત્ની વચ્ચે છૂટાછેડા પણ થતા હોય છે, ત્યારે આવા કિસ્સામાં મહિલાના અધિકારોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.  ત્યારે હાલમાં આ સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

જે અંતર્ગત પત્નીને બીજા સાથે અનૈતિક સંબંધો હશે તો પણ પતિએ તેને ભરણપોષણની રકમ ચુકવવી પડશે. આ બાબતે જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે પત્ની દ્વારા છૂટાછેડા હોવા છતાં પતિ સાથે રહેવા કરેલી અપીલમાં  આ અવલોકન કર્યુ છે.

જેમાં પત્નીને લગ્નના થોડા વર્ષો બાદ બીજા અનેક લોકો સાથે અનૈતિક સંબંધ હોવાના ગ્રાઉન્ડ પર જ પતિએ ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મેળવ્યા હતા. જેના બાદ ફેમિલી કોર્ટના ચુકાદાને પત્નીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પત્નીએ અપીલમાં એવી રજૂઆત કરી હતી છે કે તેને પતિના ઘરે તેની સાથે રહેવું છે. જો પતિ સાથે ન રાખે તો ભરણપોષણ અપાવો. જેમ ખંડપીઠ દ્વારા ટકોર કરવામાં આવી કે ભરણપોષણ મેળવીને છૂટા થઇ જાવ. પતિને તમારી સાથે રહેવું નથી અને આવા લગ્નનો કોઇ મતલબ નથી.

ગાંધીનગરમાં રહેતી એક પરિણીતાએ હાઇકોર્ટમાં તેમના છૂટાછેડાની ડીક્રીને પડકારતી અપીલ કરી છે. પત્નીએ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તે અને તેનો દીકરો બન્ને વર્ષ 2014થી અલગ રહે છે અને હવે દીકરો તેના પિતાને ઓળખતો પણ નથી. તો આ બાબતે પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેની પત્ની તેના કરતા બમણું કમાય છે અને મને હેરાન કરવા માટે ભરણપોષણ માંગી રહી છે.

આ મામલામાં ખંડપીઠ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે પત્ની ભલે તમારા કરતા ચાર ઘણું વધારે કેમ ના કમાતી હોય, પરંતુ ભરણપોષણ ચૂકવવું પડે. બધી જ રકમ એક સાથે ચૂકવી દો તો ઝડપથી છૂટા થઈ શકશો નહીં તો ભરણપોષણ તો આપવું પડશે. આ ઉપરાંત ખંડપીઠે દીકરા અને તેની પત્નીને ભરણપોષણ આપવાના મામલામાં આ ટકોર કરતા મહિલાના પતિને એવી દલીલ પણ કરી હતી કે,

પત્ની ભલે ગમે તેવા અનૈતિક સંબંધ રાખતી હોય પરતું તેના બાળક અને પત્નીને ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહી. આ ઉપરાંત બાળક પ્રત્યેની જવાબદારીમાંથી પિતા છટકી શકે નહીં. તેમને એમ પણ જણાવ્યું કે પત્ની વ્યભિચારી હોય તે કારણે ભરણપોષણ નહી આપવાનું એવો કોઇ કાયદો પણ નથી.

આ સમગ્ર મામલામાં પિતાએ દીકરાની આખી જિદંગીના ખર્ચા માટે 8 લાખ આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કે સાંભળીને કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે, પહેલા એટલો વિચાર કરો કે દીકરાની આખી જિદંગીમાં ભણતર, મેડિકલ અને બીજા ખર્ચા કેટલા થાય? હાલમાં એક વર્ષની માત્ર ટ્યૂશનની ફી લાખ રૂપિયા જેટલી હોય છે. તમે તમારી સગવડ પ્રમાણે પ્રસ્તાવ આપો નહીં તો કોર્ટને યોગ્ય લાગશે તેવી રીતે રકમ જણાવશે. જો પત્નીના ત્રાસથી છૂટવું હોય તો જલ્દીથી ભરણપોષણ આપીને અલગ થાવ.

Niraj Patel