અમદાવાદથી ગામડે જઈને દીકરાએ માતા પિતાને જણાવ્યું કે પત્ની અને સાસરીવાળા મારઝૂડ કરતા હતા, મોડી રાત્રે ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાં નોકરી કરતા યુવકને પત્નીએ માર માર્યો તો ઘરની અંદર જ પંખાના કડા ઉપર દોરડું બાંધીને કરી લીધો આપઘાત, ફેસબુકમાં પોસ્ટમાં લખી હકીકત

આપણે ત્યાં કહેવાય છે કે પતિ અને પત્ની વચ્ચે સાત સાત જન્મોના બંધનો હોય છે, પરંતુ આજ જન્મમાં ઘણા પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા પણ થાય છે અને સાત જન્મો તો દૂર આ જન્મમાં જ છૂટા પણ પડી જાય છે. તો ઘણા કિસ્સાઓમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા એ હદ સુધી પણ વધી જાય છે કે બંનેમાંથી કોઈ એક આપઘાત પણ કરી લેતું હોય છે.

હાલ આવી જ એક ઘટના કાનપુરના ઇટાવામાંથી સામે આવી છે. જ્યાંના પીપરૌલી ગઢીયા ગામમાં એક યુવકે પત્ની અને સાસરીવાળાના મારથી કંટાળીને પોતાના ઘરની અંદર જ પંખાના કડા ઉપર દોરડું બાંધીને ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો હતો. તેને ફેસબુક ઉપર પોતાની સુસાઇડ નોટ પણ પોસ્ટ કરીને આ ઘટના માટે તેની પત્નીને જવાબદાર પણ ગણાવી છે.

મૃતકની પત્ની જેવી જ મંગળવારના રોજ સવારે પરિવારજનો સાથે સાસરે પહોંચી  તો તેને જોઈને સાસરી વાળા ભડકી ગયા. મૃતકની માતા શારદા દેવીનો આરોપ  વહુ કિન્નર છે, અને લગ્ન કરાવવા સમયે આ વાત છુપાવવામાં આવી હતી. જાણકારી થવા ઉપર પરિવારજનોએ વહુની નાની બહેન સાથે લગ્ન કરવાની વાત.  દીકરાને તે લોકો અમદાવાદમાં પ્રતાડિત કરતા હતા. તો મૂર્તિ દેવીનું કહેવું છે કે તે કિન્નર નહોતી. બાળક ના હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે.

આ યુવકે આપઘાત કરતા પહેલા પોતાની છાતી ઉપર લખેલા પત્નીના નામને મિટાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પીપરૌલી ગઢીયા ગામનો રહેવાસી ભેપેન્દ્ર ઉર્ફે ભૂપેશ અમદાવાદમાં નોકરી કરતો હતો. તેના પિતા  રામ બહાદુર દિવાકર દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરાના લગ્ન 25 જૂન 2016ના રોજ મધ્ય પ્રદેશના રુકવા ગામની રહેવાસી મૂર્તિ દેવી સાથે કરવામાં આવ્યા હતા.

લગ્નના થોડા દિવસ બાદ તેની પત્ની ભુપેન્દ્રને લઈને અમદાવાદ ચાલી ગઈ. તેમનો દીકરો તેમને મળવા માટે ક્યારેક ક્યારેક આવતો હતો પરંતુ વહુ ક્યારેય આવતી નહોતી. રવિવારે સાંજે લગભગ 5 વાગે દીકરો અમદાવાદથી ઘરે આવ્યો અને તેના માતા પિતાને પત્ની અને સાસરીવાળા દ્વારા મારઝૂડ કરવાની પણ વાત કરી.

રવિવારે રાત્રે લગભગ 8 વાગે તે જમ્યા બાદ ઘરની બહાર સુઈ ગયો,  અને અચાનક તે રાત્રે ઉઠીને રૂમમાં ચાલ્યો ગયો. મોડી રાત્રે તેને પંખાના કડા સાથે દોરડું બાંધીને ફાંસી લગાવી આપઘાત કરી લીધો. સોમવારે સવારે માતાએ દીકરાનું લટકતું શબ જોઈ અને પરિવારજનોને સૂચના આપી હતી. જેના બાદ પરિવારજનોએ પોલીસને સૂચના આપી.

ભુપેન્દ્રએ આપઘાત કરતા પહેલા ફેસબુકમાં પણ એક પોસ્ટ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે “મારા માતા પિતાની કોઈ ભૂલ નથી. મારી પત્નીના કારણે હું મરી રહ્યો છું.” તેને આપઘાત કરતા પહેલા તેની છાતી ઉપર કોતરાવેલા તેની પત્નીના નામને પણ ચાકુથી મિટાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેના બાદ તેનો ફોટો પણ તેને ફેસબુક ઉપર અપલોડ કરી દીધો હતો.

Niraj Patel