વહુ નહોતી કરતી ઘરનું કામ તો ગુસ્સે ભરાયેલી સાસુએ ગોળી મારી કરી દીધી હત્યા…

કોમલ હત્યાકાંડનો સનસનીખેજ ખુલાસો, સાસુએ વહુને મારી ગોળી- કારણ જાણી બધા હેરાન

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના અમરોહામાં સાસુએ વહુની ગોળી મારીને હત્યા કરી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વહુની સંપત્તિ અને ઘરમાં કામ ન કરવાને કારણે સાસુ પરેશાન હતી. સાસુ વારંવાર વહુ પાસે દહેજની માંગણી કરતી, પોલીસે આરોપી સાસુ, તેના પતિ અને પુત્ર વિરુદ્ધ હત્યા અને દહેજ માટે એફઆઈઆર નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં મામલો જિલ્લાના ગજરૌલાનો છે. મૃતક કોમલ પૈતૃક અમીર હતી. આ કારણથી તે સાસરે ઘરમાં કામ કરતી નહતી. તેની સાસુ અવારનવાર તેની પાસે દહેજની માંગણી કરતી હતી. જેના કારણે સાસુ અને વહુ વચ્ચે ઝઘડા અને ઝઘડા થતા હતા.

તક જોઈને સાસુએ બે દિવસ પહેલા જ પુત્રવધૂને વહુની માથામાં ગોળી મારી હત્યા કરી નાખી. ઘટના બાદ સાસુએ ખૂબ જ ચાલાકીથી પિસ્તોલ ઘરની બહાર રસ્તાની બાજુના ગટરમાં ફેંકી દીધી હતી. ત્યાં પરિવારના સભ્યોને કહ્યુ કે આ ઘટના ઘરમાં લૂંટ દરમિયાન બની હતી. અમરોહાના એસપીએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે એક મહિલાને માથામાં ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પછી મૃતક કોમલની માતાએ તેની સાસુ વિરુદ્ધ FIR નોંધાવી. કોમલની માતાએ તેની સાસુ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો અને આ પછી પોલીસે પરિવાર અને આસપાસના દુકાનદારોની પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો.

દુકાનદારોએ પોલીસને જણાવ્યું કે તેઓએ આરોપી મહિલાને રસ્તા પર કંઈક ફેંકતી જોઈ હતી. આ પછી જ્યારે પોલીસે કોમલની સાસુની પૂછપરછ કરી તો તેણે આખી વાતનો ખુલાસો કર્યો. પરિવારે પણ આ બનાવ લૂંટનો હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે હત્યા અને દહેજ સહિતની વિવિધ કલમોમાં એફઆઈઆર નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.આરોપી સાસુએ પોલીસને જણાવ્યું કે, વહુ ભણેલી ગણેલી હતી અને તેને કેનેડા જવાનું હતું. તે ઘરમાં કોઇ કામ નહોતી કરતી અને પુત્ર સાથે અલગ રહેવા માંગતી હતી. મારો દીકરો હંમેશા મને ફરિયાદ કરતો કે તું કેવી વહુ લાવી છે ?

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઘણા દિવસોથી હું તેને મારી નાખવાની યોજના બનાવી રહી હતી, જ્યારે ઘટનાના દિવસે ઘરમાં કોઈ નહોતું ત્યારે તેણે વહુની કાનપટ્ટી પર બંદૂક મૂકી ફાયરિંગ કર્યું. આને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રવિવારે નવવિવાહિત કોમલ (28)ની હત્યા કરવામાં આવી હતી. તેની લાશ પલંગ પર લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં એસપી, ફોરેન્સિક ટીમ, એસઓજી અને સર્વેલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન તપાસ કરી તો સ્થળ પર સામાન વેરવિખેર પડેલો મળ્યો અને કબાટ અને લોકર પણ ખુલ્લા હતા. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા અને સાસરિયાં બાદ માતા-પિતાના નિવેદન પણ નોંધ્યા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સાસરિયાઓએ પોલીસને જણાવ્યું કે લૂંટ થઈ છે. ટેરેસમાંથી ઘરમાં ઘૂસેલા બદમાશોએ કોમલની હત્યા કરી હતી. ત્યારબાદ કિંમતી સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાના દિવસે કોમલના સાસરિયાઓએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવ સમયે સસરા દુકાને ગયા હતા. જ્યારે સાસુ બજારમાં ગઈ હતી. આ ઉપરાંત કોમલનો પતિ તેની દાદી સાથે ગામ ગયો હતો. ઘરમાં માત્ર કોમલ જ હતી. કોમલની માતાએ જણાવ્યું કે 23 નવેમ્બર 2021ના રોજ કોમલના લગ્ન નરેન્દ્ર સિંહના પુત્ર અમિત સાથે થયા હતા. લગ્નમાં ઘણું દહેજ આપવામાં આવ્યું હતું. પુત્રી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને આ જ કારણ હતું કે તે IELTS કર્યા પછી હવે વિદેશ (કેનેડા) જવાની તૈયારી કરી રહી હતી. કોમલના પતિ અને તેના સાસુ અવારનવાર ફોન કરતા અને તેમની પુત્રીને ઘરે લઈ જવાની વાત કરતા.

આરોપી સાસુએ જણાવ્યુ કે તેણે થોડા દિવસ પહેલા એક વ્યક્તિ પાસેથી 10 હજાર રૂપિયાની કિંમતે દેશી બનાવટની પિસ્તોલ ખરીદી હતી. તેણે પહેલેથી જ વિચાર્યું હતું કે તે તેની વહુને ગોળી મારશે. આ માટે તેણે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. સસરા નરેન્દ્ર સિંહ સરસવના તેલનો બિઝનેસ કરે છે. શહેરમાં તેના બે ઘર છે. જ્યારે અમિતે બી.એડ કર્યું હતું. તે તેના પિતાના બિઝનેસમાં મદદ કરતો હતો. જ્યારે નરેન્દ્ર સિંહનો મોટો પુત્ર અરુણ છેલ્લા 8 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં છે. તેની સાથે તેની પત્ની પણ ત્યાં રહે છે. મોટા દીકરાનો કારનો વર્કશોપ છે. તે નાના ભાઈ અમિતને પણ ત્યાં શિફ્ટ કરવા માંગતો હતો. પરિવાર ઇચ્છતો હતો કે વહુથી છૂટકારો મેળવી અમિતના બીજા લગ્ન ન્યુઝીલેન્ડમાં જ થાય.

Shah Jina