ત્રિપુરા : લગ્નમાં બબાલ કરનાર DM પર હાઇકોર્ટે લીધી એક્શન, હાઇકોર્ટની ફટકાર બાદ લેવાયો આ મોટો નિર્ણય

ત્રિપુરા હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે બુધવારે પૂર્વ જિલ્લાધિકારી શૈલેશ કુમાર યાદવને પશ્ચિમી ત્રિપુરા જિલ્લાથી બહાર કરી દીધા છે. યાદવ એ સમયે ચર્ચામાં આવ્યા જયારે તેમણે કોવિડ-19 નિયમો લાગુ કરવા માટે એક લગ્ન રોકાવી દીધા. યાદવ પર અગરતલામાં થઇ રહેલ લગ્ન સમારોહમાં જાનૈયાઓ, દુલ્હા અને પંડિતથી દુર્વ્યવહાર કરવાનો આરોપ છે.

બુધવારે થયેલ એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટે શૈલેશ યાદવને લઇને રાજય સરકારથી સવાલ કર્યો અને તેમના પર લેવામાં આવેલ એક્શન વિશે જાણકારી લીધી. રાજય સરકારે જણાવ્યુ કે, શૈલેશ યાદવને તેમના પદ પરથી મુક્ત કરી દેવામાં આવ્ચા છે. તેઓ 12 દિવસ છુટ્ટી પર છે.

તે બાદ અદાલતે સરકારને પૂછ્યુ કે, હજી સુધી શૈલેશ યાદવને પશ્ચિમી ત્રિપુરામાં કેમ રોકવામાં આવ્યા છે. જે બાદ અદાલતે સરકારને અડધા કલાકનો સમય આપી નવી પોસ્ટિંગની જાણકારી માંગી. હવે સરકારે શૈલેશ યાદવના સાઉથ ત્રિપુરાના બેલોનિયા જિલ્લામાં ટ્રાંસફર કરાવી દીધુ છે.

Shah Jina