માથે દેવું થઇ ગયુ હોય તો મંગળવારે કરો આ કામ, હનુમાનજી દૂર કરશે સંકટ

દેવામાંથી મુક્તિ અપાવી શકે છે મંગળવારના આ અચૂક ઉપાય, રોજ સમસ્યા થશે દૂર

દેવાની સમસ્યામાંથી મળશે છૂટકારો, મંગળવારના દિવસે કરો આ ઉપાય

મંગળવારનો દિવસ સંકટમોચનની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી મંગલ દોષ દૂર થાય છે. સનાતન ધર્મમાં મંગળવારનો દિવસ ભગવાન રામના સૌથી મહાન ભક્ત હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. પોતાના ભક્ત પર પ્રસન્ન થનાર હનુમાન તેમના જીવનની તમામ પરેશાનીઓ પળવારમાં દૂર કરી દે છે, તેથી તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ જીવનમાં વારંવાર નિષ્ફળતા અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો તેને મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ.

મંગળવારના ઉપાય
જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી ગયો હોય અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ છૂટકારો ન મેળવી શકતો હોય તો તેણે સખત મહેનતની સાથે કેટલાક ઉપાયો પણ અપનાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સાથે હનુમાષ્ટકનો પાઠ કરવાથી પણ વધુ ફાયદો થશે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી હનુમાનજી પોતાના ભક્તને સાચો રસ્તો બતાવે છે અને તેમના માર્ગમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરો અને ‘ઓમ હનુમતે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો. આ સાથે જ મંગળવારે વ્રત રાખવાથી ભક્તને ભગવાન હનુમાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવાયુ છે કે નારિયેળ દેવાથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મંગળવારે એક નારિયેળ લઈને તેને તમારા માથા પર સાત વાર ફેરવો અને હનુમાનજીના મંદિરમાં રાખો.

આવું કરવાથી દેવામાંથી મુક્તિ મળશે અને સંપત્તિમાં વધારો થશે. જે લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માંગે છે અને ઇચ્છિત નોકરીની શોધમાં છે તેમના માટે મંગળવારે લેવાયેલ ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થશે. આવા લોકોએ મંગળવારે હનુમાનજીને ચોખા અને દહીં ચઢાવવું જોઈએ. આ પછી બાકીનો ભોગ જાતે જ લેવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મંગળવારે હનુમાનજી મંદિરમાં જઈને તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તે દીવામાં કાળા અડદની દાળના થોડા દાણા મૂકો.

એવું માનવામાં આવે છે કે મંગળવારે કરવામાં આવેલ આ ઉપાય તમારી બધી ખરાબ સમસ્યાઓ દૂર કરી દેશે. જો કોઈ વ્યક્તિ શનિ દોષથી પીડિત હોય તો તેણે મંગળવારે ખાસ ઉપાય કરવો જોઈએ. આ દિવસે કાળો અડદ, એક સિક્કો અને કોલસો લો અને તેને પોટલીમાં બાંધો. પછી આને માથાની આસપાસ ફેરવો અને વહેતા પાણીમાં વહેવા દો. દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે પીપળાના 11 પાન લો અને તેને પાણીથી સાફ કરો. આ પછી પાન પર ચંદન અને કુમકુમથી શ્રી રામ લખો. આ પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાનજીને ચઢાવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina