સાંભળી લેજો દરેક પતિઓ, લગ્ન કરશો તો હવે નઈ ચાલે લાલિયાવાડી… બૈરાંને ભરણપોષણ આપવું જ પડશે કારણકે….

સુપ્રીમ કોર્ટે ભરણપોષણને લઈને મહત્વનો અને દૂરગામી નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો પતિ શારીરિક રીતે સક્ષમ છે તો તેણે પોતાનાથી અલગ રહી રહેલી પત્ની અને સગીર બાળકોના ભરણપોષણ માટે મજૂરી કરીને પણ પૈસા કમાવવા પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણની જોગવાઈ સામાજિક ન્યાય માટે છે, જેને ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પતિ પોતાની જવાબદારીઓથી મોં ફેરવી શકતો નથી.

સુપ્રિમ કોર્ટે પતિની એ દલીલને ફગાવી દીધી હતી કે તે અલગ રહી રહેલી પત્ની અને સગીર બાળકો માટે ભરણપોષણ ચૂકવી શકતો નથી કારણ કે વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે કહ્યું કે પ્રતિવાદી (પતિ) શારીરિક રીતે સક્ષમ છે, તેથી તેણે વ્યાજબી રીતે પૈસા કમાઈને પત્ની અને બાળકોનું ભરણપોષણ કરવું પડશે. ફેમિલી કોર્ટ સમક્ષ પત્ની દ્વારા આપવામાં આવેલા પુરાવા અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાને ધ્યાનમાં રાખીને,

કોર્ટને સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે પ્રતિવાદી પાસે આવકનો પૂરતો સ્ત્રોત છે. આ હોવા છતાં, તે ફરિયાદીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયો અને તેની અવગણના કરી. સુપ્રિમ કોર્ટે પત્નીની ભરણપોષણની માંગને ફગાવી દેવા બદલ ફેમિલી કોર્ટની પણ ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે ફેમિલી કોર્ટ વસ્તુઓ જોવા અને કારણો સમજવામાં નિષ્ફળ રહી છે. સીઆરપીસીની કલમ 125નો ઉદ્દેશ્ય તે મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેઓ તેમના સાસરિયાં છોડીને અલગ રહે છે,

જેથી તેઓ પોતાને અને તેમના બાળકોને સારી રીતે જાળવી શકે. કોર્ટે કહ્યું કે પતિએ મજૂરી કરીને પણ પૈસા કમાવવા પડશે, જેથી પત્ની અને બાળકોને આર્થિક રીતે મદદ કરી શકાય. જો પતિ શારીરિક રીતે સક્ષમ હોય તો તે આ ફરજ બજાવવાની ના પાડી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખવાના નિર્ણયને પણ ફગાવી દીધો હતો. જણાવી દઈએ કે પીડિતાએ વર્ષ 2010માં જ તેના પતિનું ઘર છોડી દીધું હતું. તે તેના બાળકો સાથે અલગ રહેતી હતી.

હવે સુપ્રીમ કોર્ટે પતિને પત્નીને 10 હજાર રૂપિયા અને સગીર બાળકોને 6 હજાર રૂપિયા ભરણપોષણ તરીકે આપવાનો આદેશ આપ્યો છે. અલગ-અલગ રહેતા પતિ-પત્નીનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પતિએ કહ્યું કે તેનો ધંધો બંધ થઈ ગયો છે અને તે પત્નીને ભરણપોષણ ચૂકવી શકતો નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મજૂર તરીકે કામ કરીને પણ પત્નીને ભરણપોષણ આપવું પડશે. ભરણપોષણ કેસમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Shah Jina