600 વર્ષથી ભારતના આ કિલ્લાનું રહસ્ય છે અકબંધ, બનાવવામાં લાગ્યા હતા 400 વર્ષ

આપણા દેશમાં પ્રાચીન કાળના ઘણા કિલ્લાઓ અને ઈમારતો હાજર છે. આમાંની ઘણી ઇમારતો તેમના રહસ્યો માટે જાણીતી છે. આજે અમે તમને જે કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે પણ રહસ્યોથી ભરેલો છે. આ કિલ્લો ગોલકોંડાનો કિલ્લો છે. તે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આવેલો છે.

તે હૈદરાબાદના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતો છે. તે દેશના સૌથી મોટા માનવસર્જિત તળાવોમાંના એક હુસૈન સાગર તળાવથી લગભગ નવ કિલોમીટરના અંતરે આવેલો છે. આ
આ કિલ્લો પ્રદેશના શ્રેષ્ઠ સંરક્ષિત સ્મારકોમાંનું એક છે. એવું કહેવાય છે કે આ કિલ્લાનું નિર્માણ 1600મી સદીમાં પૂર્ણ થયું હતું, પરંતુ તેની શરૂઆત 13મી સદીમાં કાકટિયા વંશ દ્વારા કરવામાં આવી હતી.

બાંધકામ સંબંધિત રસપ્રદ ઇતિહાસ : આ કિલ્લો આજે પણ તેના સ્થાપત્ય, પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને રહસ્યો માટે જાણીતો છે. આ કિલ્લાના નિર્માણ સાથે એક રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે. એવું કહેવાય છે કે એક દિવસ એક ભરવાડ છોકરાને ટેકરી પર એક મૂર્તિ મળી. જ્યારે તત્કાલીન શાસક કાકટિયા રાજાને તે મૂર્તિની માહિતી મળી, ત્યારે તેણે તેને પવિત્ર સ્થળ ગણીને તેની આસપાસ માટીનો કિલ્લો બનાવ્યો.

તે 400 ફૂટની ઉંચાઈ પર બનેલ છે : જે આજે ગોલકોંડા કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લો 400 ફૂટ ઉંચી ટેકરી પર બનેલો છે. આ કિલ્લામાં આઠ દરવાજા અને 87 ગઢ છે. આ કિલ્લાના મુખ્ય દરવાજાનું નામ ફતેહ દરવાજા છે. જે 13 ફૂટ પહોળો અને 25 ફૂટ લાંબો છે. આ દરવાજો સ્ટીલના સ્પાઇક્સથી બનેલો છે જે તેને હાથીઓના હુમલાથી સુરક્ષિત રાખતો. તમે અહીં દરબાર હોલ જોઈને જ આ કિલ્લાની ભવ્યતાનો અંદાજ લગાવી શકો છો, જે હૈદરાબાદ અને સિકંદરાબાદના બે શહેરોને ધ્યાનમાં રાખીને ટેકરીની ટોચ પર બનાવવામાં આવ્યો છે. અહીં પહોંચવા માટે હજારો પગથિયાં ચઢવા પડે છે.

આ કિલ્લો એવી રીતે બાંધવામાં આવ્યો છે કે જ્યારે કોઈ કિલ્લાના ફ્લોર પર તાળીઓ પાડે છે, ત્યારે તેનો અવાજ આખા કિલ્લામાં સંભળાય છે. આ સ્થાનને ‘તાલિયા મંડપ’ અથવા આધુનિક સાઉન્ડ એલાર્મ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કિલ્લામાં એક રહસ્યમય ટનલ પણ છે, જે કિલ્લાના સૌથી નીચલા ભાગમાંથી પસાર તઈને કિલ્લામાંથી બહાર નીકળે છે. એવું કહેવાય છે કે આ ટનલનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં રાજવી પરિવારના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરવામાં આવતો હતો. જોકે હાલમાં આ ટનલ ખતમ થઈ ગઈ છે.

YC