41 જિંદગીઓને મોતના મુખમાંથી બહાર કાઢનારા આ છે અસલી હીરો, જેને આજે આખો દેશ કરી રહ્યો છે દિલથી સલામ !

આ લોકોએ દિવસ રાત એક કરીને ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢ્યા, 17 સુધી તેઓ કેવી રીતે કાર્ય કર્યું અને કોણ હતા આ જાબાજ… જુઓ

Real Hero Of Uttarkashi Silkyara Tunnel Rescue : ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં, નિષ્ણાતોની ટીમે સુરંગની અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. જ્યારે કામદારોના સંબંધીઓ અને પરિવારના સભ્યો ટનલની બહાર રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અંદર જીવ બચાવવા માટે સંઘર્ષ થયો હતો. આ દરમિયાન અનેક ટીમોએ કામદારોને બચાવવા દિવસ-રાત કામ કર્યું હતું. ઘણી ટીમો આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે કામમાં વ્યસ્ત હતી. ત્યારે આજે તેના કાર્યને આખો દેશ સલામ કરી રહ્યો છે. ચાલો જણાવીએ કોણ કોણ હતા તે…

રેટ હોલ માઇનર્સ ટીમ : 

ટનલમાંથી મજુઓરોને બહાર કાઢવા માટે છ રેટ રેટ હોલ માઇનર્સ ટીમને બોલાવવામાં આવી હતી. આ લોકોએ બાકીના ભાગને કામદારોને બહાર કાઢવા માટે નાખવામાં આવેલી 800 મીમીની પાઇપ દ્વારા ખોદી કાઢ્યો હતો. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ તેમજ સ્થાનિક ડ્રિલિંગ નિષ્ણાતો અને પર્યાવરણ નિષ્ણાતોને પણ ટનલ દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ

વૈજ્ઞાનિક અને ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે અકસ્માત બાદ ફસાયેલા કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડીક્સ 20 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે દરેકને સકારાત્મક રહેવાની સલાહ આપી. તે ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપતા. ડિક્સ ટનલિંગમાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે.

માઇક્રો-ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપર

ક્રિસ કૂપર દાયકાઓથી માઇક્રો-ટનલિંગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. આ બચાવ કામગીરી માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. તે 18 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તેમનો અનુભવ ઘણો અસરકારક સાબિત થયો છે. કૂપરે કામ ઝડપથી પૂર્ણ કરવાનો આગ્રહ રાખ્યો. તેઓ ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ છે.

IAS અધિકારી નીરજ ખૈરવાલ :

IAS અધિકારી નીરજ ખૈરવાલને સિલ્ક્યારા ટનલ તુટી જવાની ઘટના માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા 10 દિવસથી બચાવ કામગીરીની દેખરેખ અને કમાન્ડિંગ કરી રહ્યા હતા. ખૈરવાલ બચાવ સ્થળ પરથી પીએમઓ અને સીએમઓને કલાકદીઠ અપડેટ આપતા રહ્યા. તેઓ ઉત્તરાખંડ સરકારમાં સચિવ પણ છે.

લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), સભ્ય, NDMA :

સૈયદ અતા હસનૈન, ભારતીય સેનામાંથી નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને NDMA ટીમના સભ્ય, ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં સત્તાધિકારીની ભૂમિકાની દેખરેખ કરી રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ હસનૈન અગાઉ ભારતીય સેનાના GOC હતા, 15 કોર્પ્સના સભ્ય હતા, જે શ્રીનગરમાં તૈનાત હતા. આ અભિયાનમાં તેમની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી છે.

Niraj Patel