પોરબંદર : ગળુ કપાયેલી હાલતમાં મળી આધેડની લાશ, પોલિસ ઘરે પહોંચી તો ગર્ભવતી પાડોશી…

ગુજરાતમાંથી અવાર નવાર ચકચારી હત્યાના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં એક કારમાંથી લોહીલુહાણ હાલતમાં એક આધેડની લાશ મળી આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને હવે તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી તો પોરબંદરમાં આધેડના ઘરની બાજુમાં પાડોશમાં રહેતી એક મહિલાની લાશ પણ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી. ત્યારે હવે આ ઘટનાને લઇને આધેડના મોતનું રહસ્ય ઘેરાયું છે. પોલિસ પણ બે મૃતદેહને લઈને ગોથે ચડી છે. પોરબંદરમાં આવેલ નવી ખડપીઠ વિસ્તારમાં અશ્વિન બળેજા પત્ની કંચન બળેજા અને તેમની બે દીકરીઓ સાથે રહેતા હતા.

ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન કે જે પ્રેગ્નેટ હતી, તે બે દિવસ પહેલાં સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને તે પછી તે ઘરે પરત ન આવતાં અને ફોન પણ બંધ હોવાને કારણે તેમે પોલિસમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે બાતમી મળી કે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બૂટલેગર હતો તે મુન્નાનું ઘર પણ બે-ત્રણ દિવસથી બંધ હતુ અને તે બાદ પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામું કરી તાળું તોડ્યું. અહીંથી ગુમ થયેલ કંચન બળેજાનો મૃતદેહ લોહીમાં લથબથ હાલતમાં જોવા મળ્યો.

મૃતકના પતિ અશ્વિન બળેજાએ જણાવ્યું કે પાડોશમાં રહેતા મુન્ના સાથે પત્નીને બિલ્કુલ બનતું ન હતું અને પાડાશી મુન્નો તેના દીકરા સાથે અહીં રહેતો અને દારૂ વેચતો હતો. તેમની પત્ની તેનાથી ડરતી નહોતી અને એને કારણે મુન્નાને ખૂબ ગુસ્સો આવતો. મૃતકના પતિએ મુન્ના પર ગંભીર આક્ષેપો પણ કર્યા અને કહ્યુ કે મુન્નાએ વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ સાથે પણ ન કરવાનુ કર્યું હતું અને તેમને શંકા છે કે મુન્નાએ તેમની પત્નીને જ બળજબરીથી ઘરમાં લઈ જઇ તેનું મોત નીપજાવ્યું હશે.

મહિલાના પતિએ મુન્નાના ઘરમાં CCTV લાગેલા હોવાની વાત કરતાં પોલીસે હવે એ માર્ગે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પતિ અનુસાર મહિલા 2થી 2.5 મહિનાની પ્રેગેન્ટ હતી. ત્યારે પોલિસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને આરોપી પોતે પણ શંકાસ્પદ રીતે મોતને ભેટ્યો હોવાને કારણે આ મામલો પ્રેમપ્રકરણ છે કે નહીં તેમજ મહિલાનું પ્રેગ્નેટ થવું એ વિખવાદ થવો અને એને કારણે તેની હત્યા કરવામાં આવી છે કે નહીં તે અંગે તેમજ મહિલાના ભ્રૂણના DNA રિપોર્ટ અંગે તપાસ હાથ ધરી છે.

પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી 6 એપ્રિલના રોજ મહિલાનો મૃતદે મળી આવ્યો અને ત્યાર બાદ 6 એપ્રિલના રોજ મુન્નાનો મૃતદેહ ચોટીલા ખાતે તેની કારમાંથી મળી આવ્યો હતો. એવું કહેવાઇ રહ્યુ છે કે બુટલેગર મુન્નાએ 4 એપ્રિલના રોજ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી અને ફરાર થઇ ગયો હતો. જો કે, મહિલાની હત્યા કર્યા પછી તેણે આપઘાત કેમ કર્યો એ એક મોટો સવાલ છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Shah Jina