હું પણ મરી જતો તો સારુ હોત… ભારતના હુમલા બાદ બોલ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર, પરિવારના 14 લોકોનો હુમલામાં ખાત્મો

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોનો ખાત્મો, ભારતનો મોસ્ટ વોન્ટેડ રઉફ અસગર પણ આવ્યો એર સ્ટ્રાઇકની ચપેટમાં

ધ્રુસકેને ધ્રુસકે રડ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર, ઓપરેશન સિંદૂરમાં પરિવારના 14 લોકોના મોત, બોલ્યો- હું પણ મરી જતો તો સારુ હોત

પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડા મરકઝ સુબ્હાન અલ્લાહ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર ગંભીર રીતે ઘાયલ થયો છે. મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રઉફ અસગરનો પુત્ર પણ માર્યા ગયેલા લોકોની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત, રઉફ અસગરના ભાઈની પત્નીના પણ મોતના અહેવાલ છે.

બીબીસીના અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું કે બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુબ્હાન અલ્લાહ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા. મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક માનવામાં આવે છે.

મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સને હાઇજેક કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંધકોની મુક્તીના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી તે પાકિસ્તાનમાં છુપાઈને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે. મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001 માં ભારતીય સંસદ પર હુમલો કર્યો, 2000 માં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, 2016 માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો અને 2019 માં પુલવામામાં આત્મઘાતી હુમલો જેવી અનેક મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો.

‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેની મદરેસા અને જૈશનું મુખ્ય મથક સંપૂર્ણપણે નાશ પામ્યું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

મસૂદ અઝહરને 2019 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપી રહ્યો છે અને તેના સંગઠનનો વિસ્તાર કરવા માટે નવા મદરેસા ખોલવાની યોજના બનાવી રહ્યો છે. ભારતના જવાબી હુમલામાં મસૂદની મોટી બહેન, બનેવી અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, તેણે કહ્યું- જો હું પણ મરી ગયો હોત તો સારું હોત.

Shah Jina
error: Unable To Copy Protected Content!