ઓપરેશન સિંદૂર : ભારતીય સેનાએ પાકિસ્તાનના કોટલી ખાતે અબ્બાસ આતંકી શિબિર પર કરેલા હુમલાનો શેર કર્યો વીડિયો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ 21 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મંગળવારે મોડી રાત્રે 1.05 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ માર્યા ગયા. 25 મિનિટના આ હુમલામાં ભારતીય સેનાએ 21 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.

આ એ જ આતંકવાદી ઠેકાણા છે જ્યાંથી ભારત પર વારંવાર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવતો હતો. આખરે ઓપરેશન સિંદૂર બાદ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નિઃશસ્ત્ર લોકો અને તેમના પરિવારોને સાંત્વના મળી છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યો.

આ વીડિયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું.કોટલીમાં એક આતંકી શિવિર (અબ્બાસ આતંકવાદી છાવણી) તે પહેલુ સ્થળ હતુ જેને સટીક હુમલા દરમિયાન નષ્ટ કરવામાં આવ્યુ. સ્થળની વિગતો આપતાં સેનાએ જણાવ્યું હતું કે આ કેમ્પ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાથી 13 કિમી દૂર સ્થિત હતો. આ સ્થળ આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના આત્મઘાતી બોમ્બરોને તાલીમ આપવાનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.

આ કેમ્પ 50થી વધુ આતંકવાદીઓ માટે મુખ્ય તાલીમ માળખા તરીકે કામ કરતો હતો. પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે અને મંગળવારે મોડીરાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેમ્પો પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનો ઠેકાણો સામેલ છે. એક સત્તાવાર નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાના વિનાશની પુષ્ટિ કરી છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.

Shah Jina
error: Unable To Copy Protected Content!