ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવીની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે, કેમ કે તેના પિતાનું અવસાન થયું છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઇમોશનલ નોટ લખીને ચાહકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા. પિતાને શ્રદ્ધાંજલિ આપતા મોનાલિસાએ લખ્યું, અમાર ‘પ્રિય બાબા’, સૌથી મજબૂત અને સૌથી ખુશખુશાલ વ્યક્તિ, બુધવારે આપણને છોડીને સ્વર્ગમાં ગયા.

બાબા, તમારા ગયા પછી પણ, જીવનની ચમક તમારી આંખોમાં રહી. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે તમારી સાથે વિતાવેલા ખુશ ક્ષણો મારી યાદોમાં રહે કારણ કે તમે હંમેશા હાસ્ય, મજા, પાર્ટી, નૃત્ય, ગાયન અને સ્વાદિષ્ટ ખોરાકમાં માનતા હતા. અભિનેત્રીએ લખ્યું, જેમ કોઈએ મને કહ્યું હતું, તમે ફરિશ્તાની જેમ હવે તમે ઉપરથી મારી સંભાળ રાખશો, જ્યાં તમે શાંતિથી આરામ કરશો.

હવે મને ન તો જન્મદિવસની શુભેચ્છાઓ મળશે, ન તો ખાસ પ્રસંગોએ તમારા પ્રેમાળ સંદેશાઓ. ન તો તમારા દ્વારા મોકલવામાં આવેલી કરિયાણાની વસ્તુઓ. આ બધું ન હોવાથી મારા જીવનમાં એક મોટો ખાલીપો રહ્યો છે. તેણે આગળ લખ્યું, પણ હું જાણું છું, તમે મને આ રીતે રડતા જોવાનું પસંદ કરશો નહીં. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. હું હંમેશા તમને પ્રેમ કરીશ અને દરેક ક્ષણે તમને યાદ કરીશ. મોનાલિસાની આ પોસ્ટ પર ચાહકો તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે મોનાલિસાએ ભોજપુરી સિનેમાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેનું સાચું નામ અંતરા બિસ્વાસ છે. મોનાલિસા ‘બિગ બોસ 10’ થી ઘર-ઘરમાં જાણીતી બની હતી. અભિનેત્રીએ ‘નઝર’ અને ‘નમક ઇશ્ક કા’ જેવા હિટ ટીવી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે તાજેતરમાં વેબ સિરીઝ ‘જુડવા જાલ’માં પણ જોવા મળી હતી.
View this post on Instagram
