નોકરી કરનારાઓ જરા ધ્યાન આપો, બધું છોડીને ચાની લારી લગાવનાર આ ગજબ છે ! ચા વાળાએ અધધધધ કરોડો બાનવી લીધા

IIM બહાર ‘MBA ચાયવાલા’ બની વેચવા લાગ્યો ચા, ભણી ગણીને કેટલું કમાઈ લેશો? આ ચા વાળાની અધધધ કરોડોની કમાણી વિશે વાંચશો તો ચોંકી ઉઠશો….

દોસ્તો ચાનો સ્ટોલ લગાવીને વધુમાં વદુ કેટલાનો ધંધો કરી શકાય? એક હજાર કે બે હજાર? કોઈ પણ ગામ કે શહેરમાં એવો એક ચા વાળો હોય જ છે જે ખૂબ જ ફેમસ હોય છે. લોકો મોટાભાગે તેની ચાના ચર્ચા કરતા રહે છે અને બહારથી ક્યારેય પણ કોઈ આવે તો ત્યાંથી ચા પીવે છે. પ્રફુલ્લ બિલ્લૌરે ઉર્ફે MBA ચાયવાલા…25 વર્ષના આ યુવાને સફળતાના નવા આયામ લખ્યા છે. IIMમાં એડમિશન બાદ સારા પેકેજને ઠુકરાવીને ચાની લારી લગાવી દીધી. આજે આ યંગસ્ટર્સ વચ્ચે ઘણો પોપ્યુલર છે. હાથલારીથી શરૂ થયેલ સફર હવે 200 શહેરોમાં ફેલાવાનું છે. દેશના 100 શહેરોમાં પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યા બાદ હવે તે તેને 200 શહેરોમાં ફેલાવવા જઈ રહ્યો છે. આ સાથે તેણે 500 લોકોને નોકરી આપવાની પણ યોજના બનાવી છે.

બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ મુજબ, પ્રફુલ્લ તેના વ્યવસાયને વિસ્તારવા માટે તૈયારી કરી રહ્યો છે અને MBA ચાયવાલાના નવા સ્ટોર્સમાં લગભગ 500 લોકોને રોજગારી આપવાની યોજના ધરાવે છે. ભોપાલ, શ્રીનગર, સુરત, દિલ્હી સહિત અન્ય 100 શહેરોમાં બિઝનેસ સ્થાપ્યા બાદ પ્રફુલ હવે દક્ષિણ ભારતમાં એન્ટ્રી લેવાનું વિચારી રહ્યો છે. MBA ચાયવાલા, પ્રફુલ્લ બિલોરની આગેવાની હેઠળની ચા કેફે ચેન, આ વર્ષના અંત સુધીમાં 200 ભારતીય શહેરોમાં સ્ટોર્સ સ્થાપવા માંગે છે.

એવી ધારણા છે કે આનાથી 1,000 થી વધુ નોકરીઓનું સર્જન થશે, પરંતુ હાલમાં 500 લોકોને નોકરી પર રાખવાની તૈયારી કરવામાં આવી છે. પ્રફુલ્લ કહે છે કે એમબીએ ચાયવાલા હવે ઉત્તર ભારત પછી દેશના દક્ષિણ ભાગમાં વિસ્તરશે. તેણે કહ્યું કે તે ચેન્નાઈ, બેંગ્લોર, બેલગામ, તિરુપતિ અને અન્ય ભાગોમાં તેના સ્ટોર્સ શરૂ કરશે. મધ્યપ્રદેશના ખેડૂતના પુત્ર પ્રફુલ બિલ્લૌરેનું સ્વપ્ન વાસ્તવમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં MBA નોકરી કરવાનું હતું.

પરંતુ CAT પરીક્ષાઓમાં સતત ત્રણ નિષ્ફળ પ્રયાસ બાદ તેને MBA શબ્દ વિશે વ્યવસાયિક વિચાર આવ્યો. પછી શું હતું, 2017માં તેણે IIM અમદાવાદની બહાર ચાનો સ્ટોલ લગાવ્યો અને તેનું નામ MBA ચાયવાલા રાખ્યું. આ પછી તેના ધંધામાં કેટલી ઝડપ આવી છે તેનો અંદાજ તમે લગાવી શકો છે. ‘મિસ્ટર બિલ્લૌર અમદાવાદ’ તરીકે જાણીતા બનેલા પ્રફુલ્લ અનેક લોકોને રોજગાર આપી રહ્યા છે અને તેનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે.

રિપોર્ટ અનુસાર, હાલમાં MBA ચાયવાલા દર મહિને 10-15 ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલી રહી છે. આ દરેક સ્ટોર્સ એમબીએ ચાયવાલા બ્રાન્ડ નામ હેઠળ સંચાલિત છે. કંપની તેની ફ્રેન્ચાઈઝી વેચવા માટે વાર્ષિક ધોરણે 20 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. કમાણી અંગે પ્રફુલ કહે છે કે અમદાવાદમાં તેનો મૂળ સ્ટોર મહિને 17 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. તેણે કહ્યું કે અમારો સ્ટોર સાત કર્મચારીઓને રોજગારી આપે છે અને એક નાનું આઉટલેટ લગભગ પાંચ લોકોને રોજગાર આપે છે. ફક્ત 4 વર્ષમાં MBA Chaiwala એ તેમણે પોતાની 3 કરોડની કંપની બનાવી લીધી છે. તેમની કહાણી ખૂબ જ ઈન્સ્પાયરિંગ છે.

આ રીતે વધુ 100 શહેરોમાં વિસ્તરણ કરીને અમે 500 લોકોને નોકરી આપી શકીશું. ઉલ્લેખનીય છે કે, MBA ચાયવાલા બાદ બિહારની એક બીટેકની વિદ્યાર્થીનીએ હરિયાણાના ફરિદાબાદમાં ચાનો સ્ટોલ ખોલી દીધો. વર્તિકાનું કહેવુ છે કે હંમેશાથી તેનું મન સ્ટાર્ટઅપમાં જ લાગેલુ હતુ. બિહારના પટનાથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ પ્રિયંકા ગુપ્તાએ ચાયવાલી નામથી પોતાનો નવો ટી સ્ટોલ ખોલ્યો છે. તેનું કહેવુ છે કે 2019માં ગ્રેજ્યુએશન બાદ નોકરી ન મળવાને કારણે તેણે આ ટી સ્ટોલ ખોલ્યો. પ્રિયંકા એમબીએ ચાયવાલાને પ્રેરણાસ્ત્રોત માને છે. એમબીએ, બીટેક બાદ પત્રકાર ચાયવાલા પણ આવી ગયો છે.

Shah Jina