કિસ્મતના ધની હોય છે આ તારીખે જન્મેલા લોકો, ખૂબ કમાય છે પૈસા

આ 3 બર્થ ડેટ વાળા પર હોય છે માં લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી પડતી પૈસાની તકલીફ

અંકજ્યોતિષ અનુસાર વ્યક્તિની જન્મતારીખની મદદથી તેના ગુણો અને વર્તન વિશે ઘણી બાબતોનું અનુમાન લગાવી શકાય છે. જેમ નામ પ્રમાણે રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં મૂલાંક હોય છે અને રાશિની જેમ દરેક મૂલાંકનો પણ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ હોય છે. કોઇ વ્યક્તિની જન્મની તારીખને ઇકાઇ અંક સુધી જોડો અને ત્યારે જે સંખ્યા આવશે તેને તમારો મૂલાંક કહેવાશે.

ત્યાં જ્યારે તમે તમારી જન્મતિથિ, મહિના અને વર્ષને ઇકાઇ અંક સુધી જોડો અને ત્યારે જે સંખ્યા આવે તેને ભાગ્યાંક કહેવાય. ઉદાહરણ તરીકે, 6, 15 અને 24 ના રોજ જન્મેલા લોકોનો મૂલાંક 6 છે. માન્યતા છે કે મૂલાંક 6ના જાતકો પર ધનના દાતા શુક્રની વિશેષ કૃપા હોય છે. આવા લોકોનું જીવન સુખ-સુવિધાઓમાં વ્યતીત થાય છે. આવો જાણીએ મૂલાંક 6ના લોકો સાથે જોડાયેલ દિલચસ્પ વાતો વિશે…

મૂલાંક 6: અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ 6, 15 અને 24 તારીખે થાય છે તેઓ ખૂબ ભાગ્યશાળી હોય છે, વાણીમાં નમ્રતા હોય છે. બીજાની ખૂબ કાળજી લે છે. તેઓ તેમની સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વ માટે જાણીતા છે અને આવા લોકો લવ લાઈફમાં પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે. 6 નંબરના લોકો કોઈની વાત સરળતાથી શેર કરતા નથી. તેમને જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને માતા લક્ષ્મીનો તેમના પર વિશેષ આશીર્વાદ હોય છે.

કરિયરઃ- અંકશાસ્ત્ર અનુસાર મૂળ નંબર 6 વાળા લોકોને મીડિયા, કોસ્મેટિક ઈન્ડસ્ટ્રી, મોડલ કે એક્ટ્રેસના વ્યવસાયમાં મોટી સફળતા મળે છે. તેમની રચનાત્મકતા અને લેખન કૌશલ્ય પણ ખૂબ જ સારું છે. આ નંબર ધરાવતા લોકોને તેમના ડાન્સિંગ અને સિંગિંગ કરિયરમાં પણ ઘણી સફળતા મળે છે.

દિલચસ્પ વાતો-
6 મૂલાંક વાળા લોકો આર્થિક મામલામાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
તેઓ સખત મહેનત અને સમર્પણ દ્વારા તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે.
તેઓ તેમના સરળ સ્વભાવ અને પ્રમાણિકતા માટે જાણીતા છે.
6 મૂલાંક ધરાવતા લોકો સર્જનાત્મક હોય છે અને જીવનના પડકારો સામે હાર માનતા નથી.

ભાગ્યશાળી દિવસ અને કલર-
શુભ દિવસો – શુક્રવાર, મંગળવાર અને ગુરુવાર
શુભ રંગ – ગુલાબી, પીળો, સફેદ અને વાદળી

(disclaimer : ઉપરોક્ત જાણકારીની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતુ નથી કે તે પૂર્ણત: સાચી અને સટીક છે.)

Shah Jina