શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. અને શિવભક્તો માટે આ મહિનો ખાસ મહત્વ પણ ધરાવે છે. જો કે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલતી હોવાના કારણે શિવ મંદિરો ભક્તોથી છલકાતા નથી છતાં પણ ભક્તો શિવજીની પૂજા કરવાનું ખાસ માનતા હોય છે અને એટલે જ તે ગમે તેમ કરીને શિવજીની પૂજા કરતા હોય છે.

આમ તો શ્રવણનો આખો માસ પવિત્ર છે અને શિવજીની પૂજા કરવાનો એક એક દિવસ મહત્વનો છે છતાં પણ શ્રાવણ માસનો સોમવાર ખાસ ગણવામાં આવે છે. સોમવારના દિવસે ભક્તો શિવજીની ખાસ પૂજા કરતા હોય છે અને શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોય છે. તો આજે અમે તમને સોમવારે શિવજીની કૃપા મેળવવા માટેના કેટલાક ઉપાયો જણાવીશું જેના દ્વારા શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે.

જળાભિષેક કરીને શિવજીને કરો પ્રસન્ન:
આપણે સૌ જાણીએ છીએ કે શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તો ખાસ શ્રાવણ મહિનાના સોમવારના રોજ પોતાના ઘરે રહેલા શિવલિંગ અથવા જો કોઈ મંદિરમાં તમે જઈ શકતા હોય તો મંદિરના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.

આ પ્રકારે કરો જળાભિષેક:
શિવજીને જળાભિષેક કરવા માટે જો શક્ય હોય તો કોઈ તાંમ્બાના પાત્રનો જ ઉપયોગ કરવો, અને તાંબાના પાત્રની અંદર પાણી સાથે થોડું ગંગાજળ અને ગાયનું દૂધ પણ ઉમેરો, સાથે ધોળી ભંગ અને સ્વચ્છ પાન પણ ઉમેરી, સાચા મન અને શ્રદ્ધાથી ભગવાન શિવનું ધ્યાન ધરીને “ૐ નમઃ શિવાય”ના જાપ સાથે શિવલિંગ ઉપર કરવો.

આમ તો શ્રાવણ માસના દરેક દિવસે આ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, પરંતુ જો અનુકૂળતા ના હોય તો શ્રાવણના દરેક સોમવારના દિવસે આ રીતે ભગવાન શિવને અભિષેક કરવાથી તેમની કૃપા અવશ્ય મળે છે.
ૐ નમઃ શિવાય
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.