MI vs KKR : હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યો મુંબઇ ઇન્ડિયન્સની હારનો ઠીકરો, બોલ્યો- હું ખોટો નથી તો…

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી મુંબઇ, હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હારનું કારણ

શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 170 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 24 રનથી હારનો સામનો કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે હારના કારણો શોધવામાં થોડો સમય લાગશે. મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ટીમ માટે માત્ર સૂર્યકુમાર યાદવ (56) જ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવી શક્યો હતો.

પંડ્યાએ મેચ બાદ એવોર્ડ સમારોહમાં કહ્યું, ‘સ્વાભાવિક રીતે અમે ભાગીદારી બનાવી શક્યા નહીં અને વિકેટ ગુમાવતા રહ્યા. ઘણા પ્રશ્નો છે અને આ બધાના જવાબો શોધવામાં થોડો સમય લાગશે. તેણે KKRની ઇનિંગ્સને 169 રન સુધી સીમિત કરવા માટે બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘આ પીચ પર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જો મારી ભૂલ ન હોય તો બીજી ઇનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી બની હતી.

આપણે જોવું પડશે કે આપણે શું વધુ સારું કરી શકીએ છીએ.ઓલરાઉન્ડરે કહ્યું, ‘તમે રમતમાં સંઘર્ષ જારી રાખો, હું મારી ટીમના ખેલાડીઓને આ જ કહું છું. તે પડકારજનક છે પરંતુ તમને પડકારો લેવાનું પસંદ છે. KKR સામેની મેચમાં હાર્દિક પંડ્યા પોતાની બોલિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો.

જો કે બોલિંગમાં તેણે બે વિકેટ ચોક્કસપણે લીધી હતી. હાર્દિકે મેચમાં ચાર ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 44 રનમાં બે મહત્વની વિકેટ લીધી હતી. બોલિંગની બાબતમાં હાર્દિકનું પ્રદર્શન પ્રશંસનીય હતું. જો કે, તે કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ ચમત્કાર કરી શક્યો નથી.

Shah Jina