400 વર્ષોથી દરિયામાં ભટકી રહ્યું છે આ ભૂતિયું જહાજ, જેણે પણ જોયું તેનું આવી બન્યું

આ શ્રાપિત જહાજનું રહસ્ય આજે પણ છે અકબંધ, જેણે પણ જોયું તેનું આવી બન્યું

તમે ક્યાંક તો ફ્લાઇંગ ડચમેન જહાજ વિશે સાંભળ્યું જ હશે. જો નહીં, તો આજે આપણે આ જહાજના રહસ્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે આ ભૂતિયુ જહાજ છેલ્લા 400 વર્ષથી શ્રાપિત થઈને દરિયામાં ભટકી રહ્યું છે. આ શ્રાપિત જહાજ વિશે ઘણી કહાનીઓ છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. આ જહાજને જોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેને સમુદ્રમાં જુએ છે, તો તે અને તેનું જહાજ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. (તમામ તસવીરો: પ્રતીકાત્મક)

આ શ્રાપિત જહાજ વિશે દુનિયાભરમાં ઘણા ટેલિવિઝન શો અને લોકપ્રિય ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં, અત્યાર સુધી ઘણા લોકોએ ફ્લાઈંગ ડચમેન જોયાનો દાવો પણ કર્યો છે. જોકે, તેમના દાવામાં કેટલું સત્ય છે તે કોઈને ખબર નથી. 20 મી સદીના પ્રખ્યાત લેખક “નિકોલસ મોન્સેરેટ” એ દાવો કર્યો હતો કે તેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં આ જહાજ જોયુ હતુ.

ફ્લાઇંગ ડચમેન જહાજ વિશે વિવિધ માન્યતાઓ અને ધારણાઓ છે. આ જહાજ વિશે એક સામાન્ય માન્યતા છે કે તે એક વૈસલ હતું. આ જહાજના કેપ્ટન હેનરિક વાન ડી ડેકેન હતા. તેઓ ડચમેન તરીકે પણ જાણીતા હતા. એવું કહેવાય છે કે 1641 માં જહાજના કેપ્ટન હેન્રીક વેઈન હોલેન્ડથી ઈસ્ટ ઈન્ડિઝ તરફ જહાજ સાથે નીકળ્યા હતા.

જો કે, સફર બાદ, જ્યારે તે તેના મુસાફરો સાથે હોલેન્ડ પરત ફરવા લાગ્યા, ત્યારે તેણે રસ્તામાં કેટલાક ફેરફાર કર્યા. તેણે પોતાના જહાજને કેપ ઓફ ગુડ હોપ તરફ વાળવાની સૂચના આપી. જહાજમાં બેઠેલા મુસાફરો કેપ્ટનના આ નિર્ણયથી ખૂબ નાખુશ હતા કારણ કે તેમને વહેલા તેમના ઘરે પહોંચવાનું હતું.

આગળ જતા રસ્તામાં જહાજને ભારે તોફાનનો સામનો કરવો પડ્યો. આ તોફાનમાં જહાજ સંપૂર્ણપણે નાશ પામ્યું. આ દુર્ઘટનામાં જહાજમાં સવાર તમામ મુસાફરો માર્યા ગયા હતા. કહેવાય છે કે મરનાર જહાજના તમામ મુસાફરોએ આ જહાજને બદદુઆ આપીને શ્રાપ આપ્યો હતો. ત્યારથી આ ભૂતિયુ જહાજ દરિયામાં ભટકી રહ્યુ છે.

ફ્લાઈંગ ડચમેન જહાજનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે ઘણા લોકોએ આ જહાજ જોયું હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોઈને ખબર નથી કે આ વાતોમાં કેટલું સત્ય છે અને કેટલો ભ્રમ છે. ફ્લાઇંગ ડચમેન આજે પણ એક રહસ્ય જ છે.

 

Patel Meet