ડાયાબિટીસના દર્દી માટે વરદાન છે આ જડીબુટ્ટી, માત્ર 2 કલાકમાં જ જોવા મળશે રિઝલ્ટ

ડાયાબિટીસ માટે મોંઘી દવા છોડો અપનાવો આ ઔષધી

વિશ્વમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસ માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ તમામ ઉંમરના લોકોમાં જોવા મળે છે. કોરોના રોગચાળા દરમિયાન, લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે. નિષ્ણાતોના મતે આહારમાં કેટલાક ફેરફાર કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એવી જડીબુટ્ટી છે જે માત્ર બે કલાકમાં બ્લડ સુગર ઘટાડી શકે છે.

sageના પાંદડા લાંબા સમયથી ડાયાબિટીસ સામે દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. સંશોધન બતાવે છે કે તે બ્લ્ડ શૂગર ઘટાડવામાં મદદ કરી શકે છે. હર્બ અને ડાયાબિટીસ વચ્ચેના સંબંધની તપાસ કરતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે sageના પાંદડાનો અર્ક ચોક્કસ રીસેપ્ટરને સક્રિય કરીને ઉંદરોમાં બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. આ પછી, મનુષ્યો પર કરવામાં આવેલા વધુ અભ્યાસોએ પણ આ પરિણામોની પુષ્ટિ કરી છે.

ટાઇપ 2 ડાયાબિટીસની અનિયંત્રણ સ્થિતિ ધરાવતા 80 લોકો સહિત ટાઈપ-2 ડાયાબિડીઝની નિયંત્રિત સ્થિતિ ધરાવતા લોકોમાં એક ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું કે બે કલાકના ઉપવાસ પછી, નિયંત્રિત જૂથની સરખામણીએ અનિયંત્રિત જૂથવાળા લોકોમાં sageના પાનનો અર્ક આપવામાં આવ્યો હતો, તેઓમાં બ્લડ શૂગરના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

સંશોધકોને જાણવા મળ્યું છે કે એક વાર રીસેપ્ટર સક્રિય થયા પછી, તેઓ લોહીમાં વધારાના ફેટી એસિડ્સને સાફ કરે છે, જે ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરી શકે છે. ટાઇપ 2 ડાયાબિટીસવાળા ઉંદરો પર હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ જડીબુટ્ટી મેટફોર્મિન (બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે સૂચવવામાં આવેલી દવા) ની જેમ જ કામ કરે છે.

મનુષ્યોમાં, આ ઓષધિ રોસિગ્લિટાઝોન નામની બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ડાયાબિટીસ વિરોધી અન્ય દવા જેવી જ અસર ધરાવે છે. તે ઇન્સ્યુલિન સેંસિટિવિટીમાં સુધારો કરે છે. સંશોધકોના મતે, sageના પાંદડા ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઉપવાસ કર્યા પછી બે કલાક બાદ ગ્લુકોઝને ઘટાડવામાં મદદ કરી શકે છે.

કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસને કારણે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું સ્તર વધારી શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ વ્યક્તિઓમાં હૃદય રોગનું જોખમ વધારે છે. જો કે, કોલેસ્ટરોલ ઘટાડવા માટે હાલની મોટાભાગની દવાઓ આડઅસરો ધરાવે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ખોરાકની મદદથી આ પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંશોધન દર્શાવે છે કે sageના પાંદડા ડાયાબિટીસના કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરી શકે છે.

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે બે કે ત્રણ મહિના સુધી sageના પાંદડાનું દરરોજ ત્રણ વખત સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર ઘટે છે અને એચડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. 67 લોકો પર હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે મહિના પછી કોલેસ્ટ્રોલનું કુલ સ્તર 19.6 ટકા ઘટી ગયું. આ ઉપરાંત, અન્ય ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે sage સપ્લિમેન્ટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાતોના મતે, ઉચ્ચ કોલેસ્ટ્રોલની સારવારમાં sageના પાંદડાનો ઉપયોગ વિકલ્પ તરીકે થઈ શકે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Patel Meet